SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કરીને કાદવવાળા ખાબોચીયાને આશ્રય લે છે, નદીઓ અને સમુદ્રો એ કાંઈ તાત્વિક તીર્થ નથી. જે તારે તે તીર્થ આત્મા સિવાય કોઈ તારનાર નથી, માટે આત્માન તાત્વિક સુખરૂપ અને નજીકના તીર્થને મૂકીને આત્મશુધિ માટે જેઓ નદીઓ આદિ તીર્થો વડે આત્માની શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તેઓ સત્યમાર્ગના અજાણ છે. | નદીનાં જળો શરીરની શુદ્ધિ કરશે, ગરમીની ઉષ્માને શાંત કરશે. પાણીની તૃષા મટાડશે, પણ આત્મજાગૃતિ તે નહિં જ આપે, કોધાદિની ગરમી શાંત નહિં કરે, મનને નિર્મળ નહિં કરે. કેધાદિને શાંત કરનાર તે સંયમ રૂપ પાણીથી ભરેલી આત્મા રૂપી નદીજ છે. મુશ્કેલીઓ સહન કરે. પિતાના આત્મામાં સ્થિરતા કરવા ઈચ્છનારા મનુષ્યોએ જે જે મુશ્કેલીઓ આવી પડે છે તે સમભાવે સહન કરવી જોઈએ. જે જે પરિષહ કે ઉપસર્ગો બીજાઓ તરફથી આવે તે સહન કરવાની ટેવ પાડવી જોઈએ. આ મુશ્કેલીઓ સહન ન કરી શકનારનું આત્મજ્ઞાન તેવા મુશ્કેલીના પ્રસંગો આવી પડતાં નાશ પામે છે. સુખમય સ્થિતિમાં રહીને જે જ્ઞાન ઉસન્ન કરેલું હોય છે. તે દુખ આવી પડતાં ખસી જાય છે, વિક્ષેપ ઉત્પન્ન થવાથી તેની નિશ્ચળતા ટકી રહેતી
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy