________________
છે. આ જ જીવન ચારિત્ર છે, ચારિત્રની છેલ્લી હદમાં જ પૂર્ણ પરમાત્માસ્વરૂપ પોતાનો આત્મા થઈ ને રહે છે.
આ ચારિત્રનું પ્રાપ્તવ્ય છે અને તેની શરૂઆત ઘણા જ નાના પાયા ઉપર આ ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવેલી છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશાસ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે.
આ ઉપરથી કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. ત્યાગમાર્ગમાં તેની શરૂઆત વધારે વિસ્તારથી થાય છે. અપ્રમત્તદશા-સ્વરૂપ દશામાં તેની પૂર્ણાહુતી થાય છે.
આ ઉપર કહેલી પ્રાપ્તવ્યવાળી દિશા ધ્યાનમાં રાખીને તે માર્ગની અહીંથી શરૂઆત કરવામાં આવે છે. શરૂઆતમાં પોતાના લક્ષ પ્રાપ્તવ્ય સામી આંતરદૃષ્ટિ રાખીને આ ગ્રંથમાં બતાવેલી દરેક ક્રિયા પોતાની યોગ્યતાના પ્રમાણમાં કરવા માટે લાગણીપૂર્વક પ્રયત્ન કરવો. આ ભૂમિકામાં ઘણા અંતરાયો દૂર કર્યા પછી. ઘણી મલીન વાસનાઓ ઓછી કર્યા પછી અને શુભ સંસ્કારનો વધારો કર્યા પછી અપ્રમત્તતાવાળી શુદ્ધ દશામાં પ્રવેશ કરી શકશે. અને સર્વ કર્મનો નાશ તેવી દશા-લાયકાત પ્રાપ્ત થયાથી કરી શકાશે.
આ કહેવા ઉપરથી ગ્રંથના અધિકારી કોણ છે તે વાત કહી બતાવી છે. આ ગ્રંથનો ઉદ્દેશ પણ મલીન વાસનાનો ત્યાગ કરવાપૂર્વક સાધકોએ અપ્રમત્ત દશાને લાયક થવું તે જ છે તે બાબતનાં સાધનોનો ઉલ્લેખ આ નાનાંસરખા ગ્રંથમાં બન્યો તેટલો કરવામાં આવેલ છે.