________________
| ૩
મર્દ નમ: ||
'ગૃહસ્થ ધર્મની પ્રસ્તાવના
આ ગ્રંથ નીતિમય જીવન પછીનો છે. ઘરમાં રહેનાર તે ગૃહસ્થ કહેવાય છે. અને તેમનો ધર્મ, તેમનું કર્તવ્ય, તેમની ફરજો તે ગૃહસ્થનો | ધર્મ છે. ધર્મનો ખરો અર્થ તો વસ્તુનો સ્વભાવ તેજ ધર્મ છે. અહીં આત્મા Hએ વસ્તુ છે, ત્યારે તેનો જે શુદ્ધ સ્વભાવ તે આત્મધર્મ છે. આ વ વસ્તુસ્વભાવરૂપ ધર્મનો પૂર્ણ વિકાસ તો આત્મસ્વભાવમાં સ્થિરતા
કરવાથી જ પ્રગટ થાય છે. છતાં પણ આ ગૃહસ્થ ધર્મમાં તે ધર્મની | શરૂઆત થાય છે. વૃક્ષરૂપે અહીં નથી પણ અંકુરારૂપે છે અને આ અંકૂરાની શરૂઆત તે પણ ભવિષ્યમાં વૃક્ષપણાના પૂર્ણ સ્વરૂપને પામનાર છે. એટલે ધર્મની વસ્તુ સ્વભાવરૂપ ધર્મની શરૂઆત પણ આ ગૃહસ્થ ધર્મમાં થાય છે. તેને પણ ધર્મ કહેવામાં કાંઈ અડચણ નથી. કર ઓઘ સંજ્ઞાએ અથવા સેજસાજ આત્મજાગૃતિ એ પણ આ ગૃહસ્થ ધર્મની શરૂઆત છે. છતાં રાજપંથ તો એ જ છે કે આત્માને સમ્યક પ્રકારે જાણીને સમજીને પછી વિશુદ્ધિ મેળવવા માટે ગૃહસ્થ ધર્મના વ્રત, તપ, જપ, નિયમો વગેરેનો આદર કરવો. સમ્યક જ્ઞાન થયા પછીથી જ સમ્યફ ચારિત્રની શરૂઆત થાય છે. આ ગૃહસ્થધર્મ તે પણ દેશથી સમ્યફ ચારિત્ર, એ સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક હોય તો જ ખરી રીતે કર્મનિર્જરા કરવામાં હેતુભૂત થાય છે, તે સિવાયનું દેશ કે સર્વચારિત્રા એ આશીભાવવાળું સંસારની વિવિધ વાસનાના સંસ્કાર કે લાગણીવાળું હોવાથી ભવભ્રમણના હેતુભૂત થાય છે. ક્વચિત એવા દાખલાઓ પણ બને છે કે સમ્યક્રશનજ્ઞાન વિના ઓઘે પણ આ ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં