________________
[ ૧૭૨ ]
ગૃહસ્થ ધર્મ
મજબૂતાઇ વધે તે માટે બહુ નિયમિત રહેવું, પતિની સામા કદી પણ ન થવું. પોતાનો પતિ કદાચ અકારણ ગુસ્સો કરે તો વખત જોઈ મૌન રહેવું અને તે ખુશીમજામાં હોય તે વેળાએ ખરી હકીકત કે ખરો આશય બતાવી તેની ભૂલ સમજાવીને સુધરાવવી, પણ તે જ વખતે સામા બોલી કલેશ ન કરવો. કોઈની કહેલી વાત પર લક્ષ ન આપતા જાતે તપાસ કરી પછી જ તે વિશે પતિનો ખુલાસો માંગવો. કોઈ પ્રસંગે ઇશારાથી ભૂલ બતાવવી પણ તેનો અંત ન લેવો પતિના સુખી દિવસોમાં આનંદ કરવો. દુઃખી દિવસોમાં મદદગાર થવું. આમ જીવન ગુજારનાર પતિ પત્નીના ગૃહવ્યવહાર સુખમય નીવડે છે.