SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ. બુદ્ધિનું શુદ્ધ સ્થાન પ્રત્યે વહન થવું એ મનુષ્યને સ્વભાવ છે. જ ૨ દર્શનાવરણીય કર્મ. જે કર્મથી આત્માનું સામાન્ય જ્ઞાન અશુદ્ધ બને તે દર્શનાવરણીય કર્મ છે. જ્ઞાનનું વિવેચન કરતાં જ્ઞાન એટલે વ્યાપક જ્ઞાન એમ આપણે સમજી લીધું હતું. આપણે કઈ વસ્તુનું વિસ્તૃત સ્વરૂપમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ તે પહેલાં તેનું સામા ન્ય જ્ઞાન આપણને થાય છે. વસ્તુનાં વિસ્તૃત જ્ઞાન પહેલાંની આ એક સ્થિતિ છે. આપણે બહુ તે વસ્તુને જોઈએ છીએ કે તે વિષે કંઈ સાંભળીએ છીએ. આ સ્થિતિમાં તેના પ્રકાર કે રહસ્ય સંબંધી આપણે ઉંડા ઉતરતા નથી. આથી વસ્તુનું સ્વરૂપ આપણે યથાર્થ રીતે જાણતા હતા નથી. વસ્તુ વિષયક આપણું જ્ઞાન આમ સંકુચિત હોય છે. અમુક વસ્તુ અમુક વર્ગની છે કે તે અમુક પ્રાણી ( દા. ત. ઘેડ) છે એટલું જ આપણે જાણી શકીએ છીએ. વસ્તુની વિશિષ્ટતાઓનું આપણને વ્યાપક સ્વરૂપમાં જ્ઞાન હેતું નથી. આપણે એ પ્રકારની વિશિષ્ટતાઓની વિશેષ વિગતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા સિવાય વસ્તુનું સામાન્ય જ્ઞાન તે જરૂર મેળવી શકીએ. આ જ્ઞાનની પ્રથમ કક્ષા છે. તેમાં અનિશ્ચિત રીતે અનુભવસિદ્ધ જ્ઞાન થાય છે. વિસ્તા* Asiatic Quarterly Review, Page 143 July 1900.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy