SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ . (૫) અનંત રૂપી અને અરૂપી પદાર્થાંનાં જ્ઞાનનુ જે કર્મપ્રકૃતિથી આવરણ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મની પાંચમી પ્રકૃતિ છે. તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. અનંતજ્ઞાન એટલે સર્વજ્ઞપણુ -કેવલજ્ઞાન. ४२ અવધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન અને કેવલજ્ઞાન એ ચિત્ત અને ઇન્દ્રિઓના ઉપયોગ ( વ્યાપાર ) વિના પ્રત્યક્ષ સ્વરૂપમાં ઉપલબ્ધ થઇ શકે છે. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ આપણે જોઈ. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિષેજ્ઞાનના સત્યતા અને અસત્યતાની દ્રષ્ટિએ બબ્બે પ્રકાર છે. આ રીતે વિચારતાં જ્ઞાનના એક ંદર આઠ પ્રકાર છે. મતિજ્ઞાન આદિના બબ્બે પ્રકાર સત્ય મતિજ્ઞાન, મતિઅજ્ઞાન આદિ સમજી લેવાં. પ્રકારના ઇન્દ્રિઓદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં ( મતિજ્ઞાનમાં ) કર્યું, હસ્ત આદિ ઇન્દ્રિઓને બાહ્ય વસ્તુનાં આંદોલન સાથે સંસર્ગમાં મૂકવામાં આવે છે. આથી જે તે ઇન્દ્રિયમાં એક પ્રકારના આવેશભાવ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિઓના આ આવેશભાવ–ઉત્તેજના વૃત્તિને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ પછી ચિત્તમાં પણ ઉત્તેજના–ભાવ પરિણમે છે. ચિત્તના આ ભાવને અર્થાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ બાદ વસ્તુ શું છે? એવા પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં આંતરજ્ઞાનવૃત્તિ મૂકાય છે. જે વસ્તુનું જ્ઞાન થયું હાય તેના નિર્દેશ પ્રશ્નથી થાય છે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy