________________
જે કચ્છ પ્રાન્તમાં પ્રસિદ્ધ છે, (૧૮) કુમળાં પાન વનસ્પતિનાં નવાં ઉગતા અંકુર જે અનંતકાળ હોય છે, (૧૯) ખરસૂયાકંદ-કસેરુ, (૨૦) થેગ-જવારના દાણા જેવા કંદ, (૨૧) નાગરમોથ, (૨૨) લૂણી નામના વૃક્ષની છાલ, (૨૩) બિલોડાં, (૨૪) અમરવેલ, (૨૫) મૂળા-મૂળી, (૨૬) બિલાડીના ટોપ, (૨૭) પ્રથમ ઉગતી એવી ભાજી, (૨૮) કરુહા૨, (૨૯) પાલકની ભાજી, (૩૦) સૂરવેલ, (૩૧) કોમલ આમળી-જ્યાં સુધી તેમાં બીજ ન થાય ત્યાં સુધી તે અનંતકાય છે, (૩૨) બટાટા-રતાળું અને પિંડાલૂ, આ પ્રકારના બધાને અનંતકાય કહ્યા છે. જેનો ઉપરની યાદીમાં ઉલ્લેખ નથી થયો તેને નીચે જણાવેલ લક્ષણોથી જાણવાં.
અનંતકાયના લક્ષણ :
પાંદડા, ફૂલ, ફળ વગેરેમાં નસો ન દેખાય તેવી, સાંધા પણ ગુપ્ત હોય,તોડવાથી બરાબર તૂટી જાય, જડમાંથી કાપવા છતાં ય જે લાંબા સમય સુધી લીલાં રહે અને ઉગાડવાથી તે ફરી ઉગે, આ બધા અનંતકાર્યનાં લક્ષણ છે.
ભોગોપભોગના વ્રતના સાધકે જે ચૌદ નિયમ છે તેને નીચે મુજબ જાણવા.
ચૌદ નિયમ
નીચેની ગાથાને યાદ કરી લેવાથી આ ચૌદ નિયમોને યાદ રાખવાનું સહેલું પડશે.
સચિત્ત ૬વ્યૂ વિગઇ વાણહ પતંબોલ વત્થ કુસુમેસુ । વાહણ સયણ વિલેવણ ૧૧બંભ દિશિ ૧૩ન્હાણ ૧૪ભત્તેસુ । દરરોજ સવારના પ્રતિક્રમણ પછી અને સાંજના પ્રતિક્રમણ
૪૫