SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ આપણે બીજામાં શોધીએ છીએ, ખરી રીતે તેજ દોષ આપણામાં લાવીએ છીએ. લાયક થાઓ, ઈચ્છા નહિં કરે તે પણ તમને મળશે. મેહ અને અહંભાવને ત્યાગ કરીને જ મહાત્માઓએ અમર પણું મેળવ્યું છે. ૬૪ મન પવિત્ર થયા સિવાય જ્ઞાનને રંગ ચડનાર નથી વિષયમાં ઝેર સાથે જ રહ્યું છે, કારણ કે તેની મીઠાશ ઝેરની અસર કર્યા વિના કયાં રહે છે? વિષયે જેને લાવી શકતા નથી તેજ દુનિયાને ફેલાવે છે. ૬૫ તેલ, બત્તી ઉપર ચડવાથી પ્રકાશરૂપ બને છે, તેમ શક્તિને વ્યય નીચલા ભાગમાં ન થતાં ઉપરના ભાગ તરફ ચઢે તે, આકર્ષણશક્તિ, તેજની વૃદ્ધિ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે, દ૬ બ્રહ્મચર્યની પૂર્ણ જરૂર છે. બાપને કુ કહેવાથી તૃષા છીપતી નથી, પણ પાણી પીવાથીજ. શાસ્ત્રો રાખવા કરતાં તે પ્રમાણે વર્તન કરો. સત્યને જય થાય છે. પ્રેમને પુશામત ગમતી નથી. ૬૭ રાખી મૂકવાજ હોય તે પથ્થર અને તેનું સરખાં જ છે. જ્ઞાનની આપ, લે ન કરવાથી પોતાને જ નુકસાન છે. અપચાથી અશકિત અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. જઠર સારી સ્થિતિમાં ન હોય તે ચિંતા અને ઉચાટ વધે છે. તબિયત સારી ન હોય તે સહજમાં ગુસ્સો ચડે છે- . . • -
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy