SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ s૨ તથાપિ તેના ગરમ ધુમાડાથી તે ઈજા થવા વિના રહે જ નહિં. ૯૫ સલાહકાર સલાહ આપવામાં તથા રસ્તે બતાવવામાં નરમાશની રીત રાખવી જોઈએ. તેમજ સભામાં કે મીજલસમાં શીખામણ આ પવી ન જોઈએ. પણ એકાંતમાં અને એ પ્રસંગે આપવી જોઈએ કે જ્યારે તેને એમ લાગે કે હવે મારા વચનની તેના પર અસર થશે. તે પણ નરમાશ અને સભ્યતાથીજ આપવી, કારણ હાલના જમાનામાં નરમાશથી બલવું અને સારા સ્વભાવ રાખવે તેમાં જ સુખ રહેલું છે. ૯૬ આખી દુનિયાને અકકલની ગરજ છે અને અકકલને અનુભવની જરૂર છે. કારણ એવું કહેવાય છે કે અનુભવ અકકલની આરસી છે તેમાં દરેક કામનો પડછાયે દેખાઈ આવે છે. અનુભવ મેળવવા માટે લાંબે વખત, લાંબી ઉમ્મર. અને બીલકુલ નિશ્ચિત તાની જરૂર છે. ૯૭ અપૂર્ણ નીચ પતિત માણસો જ અહંકાર કરે છે. તેમને સ્વાર્થ એટલેજ કે પિતાની અપૂર્ણતા ઢાંકવી, પણ ખરું જોતાં તે તેઓ પિતાના દુર્ગુણે ખુલ્લા પાડે છે ૯૮ ડહાપણને થંભ સહનશક્તિ છે. જેનું મગજ હલકું તે હમેશ નીચ વૃત્તિને હોય છે. ધર્મ સંપૂર્ણતાની
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy