SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩પ બે પાંપણોની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરે. ખડખડાટ થાય કે મરછરાદિ જંતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવે નહિ. શ્વાસો શ્વાસની ક્રિયા ઘણીજ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણી જ શાંતિમાં આવશે. કોઈ કાર્યને માટે પિતે અશકત છે એમ કદી પણ માનવું નહિ બીજાના વિચારોના ગુલામ નહિ થવું. દરેક કાર્યોને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. હાર થયા છતાં પણ નિરાશ ન થવું. પ્રબળ ઉત્સાહ રાખવો. આત્મવિશ્વાસ કદી છે નહિ. આળસ અને પ્રમાદને તે દેશવટોજ આપ. કાર્યસિદ્ધિ માટે સતત અભ્યાસની જરૂર છે. નાના નાના છેડવાઓ, વૃક્ષો, જનાવરે, અને મનુષ્ય, દરેક સતત્ અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે? અને વધે છે? તેને વિચાર કરો, દરેક જ આગળ વધવાની શકિત ધરાવે છે. ૨૮ શેચ નહિ કર. તે આર્તધ્યાન છે. તારા સિવાય તારું ભલું કે બુરું કરનાર કેઈ નથી. તું બીજાનું ભલું કે બુરૂં નજ કરી શકે કારણકે ભલા, બુરાને આધાર તેના કર્તવ્યપરજ છે. ૨૯ જે ઈચછા કરે છે તેવું કર્તવ્ય કર્યું હશે તે વગર ઈરછાએ પણ તે મળશે. તેવું કર્મ નથી તે ગમે તેટલી ઈછા કર્યાથી પણ તે નહિ જ મળે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy