SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 1) સંસ્કૃતનું ગુજરાતી : 1. કાંબળી દ્વારા તારા અંગોને ઢાંક, જેથી ભગવાનની આજ્ઞા પાળેલી થાય. તમે કોઈને પણ દુઃખી ન કરો. બધે અહિંસા ફેલાઓ અને તેથી બધાં સુખને મેળવો. દીક્ષા પછી ગુરુએ શિષ્યને ઉપદેશ આપ્યો ‘તારે બધાં જીવોને રક્ષવા જોઈએ. તું કોઈ પણ જીવને પીડતો નહીં. તું સ્વજનનો રાગ છોડજે. સારી રીતે સંયમને પાળી મોક્ષના દ્વાર ખોલી નાંખજે.' ભોગોમાં અને વિષયોમાં ડૂબેલા પણ સ્થૂલિભદ્રજીએ પિતાના મૃત્યુને કારણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને ભોગો તથા વિષયોને પરાજીત કર્યા. 2. 3. 4. 5. 6. 7. મનોયત્ન યાને પરીક્ષા [ પાઠ : ૧ થી ૫ ] 9. - પ્રતીકાર ન કરો, સ્વીકાર કરો ! તિરસ્કાર ન કરો, હ્દયને ખુલ્લું કરી દો અને તેથી તમે વિશ્વને વશ કરશો. ‘જિનશાસનનો જય જયકાર થાઓ' એ પ્રમાણે વિચારીને હેમચંદ્રાચાર્યે કુમારપાલને ઉપદેશ આપ્યો અને તેથી આકર્ષિત થયેલ કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યને ગુરુ માન્યા. ગુરુના ઉપદેશ પ્રમાણે તેમણે બધે અહિંસાની ઘોષણા કરી અને તેથી બધે અહિંસા ફેલાઈ ! તમે બે પોતાના દોષને ન છૂપાવો. પોતાના ગુરુની પાસે જઈ સારી રીતે પોતાના દોષોને કહી દો ! અને તેથી તમારા બેના દોષો નાશ પામશે. 8. જે જગતના તત્ત્વોની વિચારણા કરે, તત્ત્વોનું મનન કરે તે મુનિ કહેવાય છે. હાથી દ્વારા મરાઈ રહેલા પણ માણસે જિનાલય ન જવું જોઈએ [મતલબ-હાથીના પગતળે કચડાઈ જવું સારું. પણ દેરાસરમાં તો ન જ જવું !] આ પ્રમાણે હરિભદ્ર નામનો બ્રાહ્મણ ઘોષણા કરે છે. તો પણ એક વાર જૈનાગમનો એક શ્લોક સાંભળીને આર્જિત થયેલા હરિભદ્ર બ્રાહ્મણે હરિભદ્રાચાર્ય થઈ અનેક ગ્રન્થોનું વિવરણ કર્યું. ૦ ૧૧૭૦ પરીક્ષા-૧ સરલ સંસ્કૃતમ્ - ૫
SR No.022985
Book TitleSaral Sanskritam Part 05
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy