________________
પ્રસ્તાવના
અબ હમ અમર ભયે ન મરેંગે....અને યા કારણ મિથ્યાત દિયે તજ, કયું કર દેહ ધરે ?....અબ૦
–શ્રી આનંદઘનજી ' –આ અમરં શબ્દમાં નિજ આત્માની પરમ ધન્ય અમરતા સંગીત કરનાર મહાગીતાથ મહર્ષિ આનંદઘનજી અપૂર્વ ભક્તિસામૃતથી સંભૂત સ્તવનેનું દિવ્ય સંગીત લલકારી ગયા છે. તે પૈકી બીજું સ્તવન જે છ કડી માત્ર પ્રમાણ છે, તેને પરમાર્થ આશય પરિક્રુટ કરવા માટે અત્રે આ લેખકે “આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગ દર્શન” એ ગ્રંથ લખે છે, અને ત્રીજું સ્તવન જે પણ છ કડી માત્ર પ્રમાણ છે, તેને આશય સમજવા માટે “પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા” એ બીજો ગ્રંથ લખે છે. આ બન્ને ગ્રંથ આ એક ગ્રંથમાં સમાવિષ્ટપણે અત્રે સુજ્ઞ વાંચકની દષ્ટિ સન્મુખ સમુપસ્થિત થાય છે.
આનંદઘનજીને દિવ્ય ધ્વનિ. આ ભક્તિરસ સંભત સ્તવનેમાં શ્રત થતે દિવ્ય ધ્વનિ શ્રી આનંદઘનજીના અંતરાત્માને નાદ છે. એમાં પદે પદે નિર્ઝરતી પરા ભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારું દર્પણ છે. આ અક્ષયમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે રહ્યો છે. “જેની યશસ્કાયમાં જરા–અરણુજન્ય ભય