SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જિન આલંબનેનિજ આલંબનીઃ રાજમાર્ગ અને એકપદી પ૧ ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે; “નમે મુજ ન મુજ” એવી આનંદઘનજીએ તેમજ તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. fમન્નાનકુચારમાં જે મવતિ તાાઃ बत्ति र्दीपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥ " –શ્રી પૂજ્યપાદસ્વામી કૃત સમાધિશતક. જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગજવે રે.” આનંદઘનજી. અથવા આત્મા પિતે આત્મમંથન કરી પરમ બને છેજેમ ઝાડ પિતાને મથીને પિતે અગ્નિ બને છે તેમ. પણ આ તે કોઈ સમર્થ ગીવિશેષને એગ્ય એ એકપદીરૂપ માર્ગ છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તે પણ પ્રગટ પરમાત્મ સ્વરૂપના અવલંબન વિના પિતાની મેળે પરમ પદની પ્રાપ્તિ દુર્ઘટ છે, પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુધટ-સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તો અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગેપદ સમાન લીલા માત્રમાં પાર ઉતરી જવાય એવું બની જાય છે ! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભકતશિરોમણિ ગાઈ ગયા છે કે–જિનઆલંબની નિરાલંબનતા પામી નિજ આલંગની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબલ અવલંબન ગ્રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુકત આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું આ જગગુરુદેવના ચરણું સદાય સેવ્યા કરીશ,
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy