SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા સેન્યા વિના આત્મજાગૃતિ આવે નહિં. આ અંગે પરમતત્ત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચ`દ્રજીના ટકાટ્ઠણ વચનામૃત છે કે— “ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઇ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. —શ્રી આત્મસિદ્ધિ, આ ગાથાના અર્થ સ્પષ્ટ કરતાં શ્રીમદ્જી સ્વયં વર્તે છે કે—“ સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે; એમ શસ્ત્રમાં કહ્યું છે; તેમ ઉપાદાનનું નામ લઈ જે કાઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ચ્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચું નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચું નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલખીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું; એવા શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાના પરમાર્થ છે. ” —શ્રીમદ્ રાજચંદ્રજી. આમ શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઇ નિમિત્તના નિષેધ કરવા માટે કે તેનુ આછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જવને પુષ જાતિ અ સ.પેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રખળ અવલંબનપૂર્વક આ મપુરુષાર્થ જાગ્રત નિમિત્તના ઉપકાર
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy