SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પૂર્વાપર સંબધિરૂપ સંકલના ઘટાવી શકાય છે. તે દોષ જેમ જેમ છેડાય, તેમ તેમ અનુક્રમે આઠ ગદષ્ટિરૂપ આત્મગુણને આવિર્ભાવ થતો જાય છે, પ્રગટપણું થતું જાય છે. - અથવા પ્રકારતરે અધ્યાત્મ પરિભાષામાં આ દેષ ઘટાવીએ તે (૧) આત્મતત્વની સાધનામાં જીવની દઢતા ન રહે, ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉદ્વેગ-અણગમે આવે, (૩) એટલે ચિત્ત વિક્ષેપ પામી પરવસ્તુમાં–પરભાવમાં દોડયા કરે, ઉધામા નાખે, (ક) અને આત્મભાવમાંથી ઊઠી જય–ઉત્થાન પામે, (૫) એટલે પછી ભ્રાંતિ-વિર્યાસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે, અન્યમુદ ધારે, (૭) એટલે રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદોષ સન્નિપાત (રંગ) લાગુ પડે, (૮) અને પરવતુમાં–પરભાવમાં આસંગ-આસક્તિ ઉપજે. ઈત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે. અને આ દોષ દૂર થવાને ક્રમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે – - (૧) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખે ન થાય, (૨) ઉગ–અણગમે ન ઉપજે, વેડરૂપ ન લાગે, (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ને જાય, (૫) એટલે ચારે કેર ભમે નહિ, (૬) અને અન્ય અને આનંદને પ્રસંગ બને નહિ, (૭) એટલે પછી ક્રિયાને પણ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિમાગ પણ ઉપજે નહિ. .
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy