SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન કંઈ પણ ભાવસ્કુરણારૂપ અંતભેદ વિના કરવામાં આવે છે, તે પણ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. (૨) દ્રવ્યને બીજે અર્થ ભાવજનન ચેગ્યપણું છે, જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રવ્યનો પ્રધાન એ પ્રકાર છે. દાખલા તરીકે-માટી છે તે દ્રવ્યઘટ છે, સુશ્રાવક છે તે દ્રવ્યસાધુ છે, સુસાધુ છે તે દ્રવ્યદેવ છે, ઈત્યાદિ. ભાવને ઉત્પન્ન કરનારું એવું આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્રે પ્રસ્તુત છે; અપ્રધાન દ્રવ્ય અપ્રશસ્ત છે, કારણ કે જે પ્રધાનરૂપ વ્યક્રિયાથી ભાવની ઉત્પત્તિ થાય, તે જ આત્માથીને ઉપકારી છે અને ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાનદર્શન ગુણનું પરિણમન, આત્મસ્વભાવપરિણતિ. આમાં પ્રધાનરૂપ દ્રવ્ય આજ્ઞાને અધિકાર તે અપુનબધકાદિક દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ ક “વ્યથી પૂજા રે કારણ ભાવનું, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ નામ ધર્મ છે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ. ભાવ ધર્મના હે હેતુપણે ભલા. ભાવ વિના સહુ આલ.” –મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી. xદવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામ, ભાવ અભેદ થવાની ઇહા, પરભાવે નિષ્કામેછે.” “આત્મભાવ તે ભાવ, દ્રવ્યપદ બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગેઇ.”–શ્રી દેવચંદ્રજી "एवे अहिगारिणो इह ण सेसा दव्वो वि जं एसा । इयरीए जोग्गयाए सेसाण उ अप्पहाण त्ति ॥" શ્રી હરિભદ્રાચાર્યજીકૃત પંચાશકશાહ્ય
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy