SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરત્ન રત્નાકર તપ નંબર ૩૮ ની બીજી રીત. ગણધર એકાદશી ૧૧ વર્ષ સુધી કરવી. પ્રથમ વૈશાખ શુદી ૧૧ને દિવસે ઉપવાસ કરે છે હીં” “શ્રી ઈંદ્રભૂતિસર્વજ્ઞાય નમઃ” એ પદની વીશ નવકારવાળી ગણવી. બીજે વર્ષે વૈશાખ સુદી ૧૧ને દિવસે ઉપવાસ કરી છે હી શ્રી અગ્નિભૂતિસર્વજ્ઞાય નમઃ” એ પદની વીશ નવકારવાળી ગણવી. એ પ્રમાણે અગિયાર વર્ષે અગીયાર ગણધરની આરાધના કરવી. સેના પ્રશ્નમાંથી તપસ્યાને લગતા ઉપગી પ્રશ્નોત્તરો. (ઉલ્લાસ ત્રીજો) પ્રશ્ર ૧૧૮—ચૈત્ર માસ અધિક હોય તે કલ્યાણકાદિક તપ પહેલા માસમાં કરે કે બીજા માસમાં કરે ? ઉત્તર–પહેલા ચૈત્રના કૃષ્ણપક્ષમાં તથા બીજા ચૈત્રના શુકલપક્ષમાં તપ કરે. એ પ્રમાણે તાતપાદ હીરસૂરિ ભગવાન કરાવતા હતા એમ જેયું છે, માટે તે જ પ્રમાણે કરવું જોઈએ, નહીં તે ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે માસક્ષમણદિક તપ કયારથી કરાય ? (દરેક અધિક માસમાં આ પ્રમાણે જ જાણવું.) પ્રશ્ન ૧૨૮–-બસો ને ઓગણત્રીશ છઠ્ઠ સંબંધી તપ કરવાનું શરૂ કર્યો છે, પણ પાછળથી છ કરવાની શક્તિ ન રહી હોય તે એકાંતર ઉપવાસ કરી શકે કે નહીં?
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy