SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ તપેારત રત્નાકર તે ચંદનાના પગમાં બેડી, માથે સુડો, મુખમાં નવકાર મંત્રનું રટન અને આંખે ચેાધાર આંસુ : કમળને ચીમળાતા કેટલી વાર ? ચંદનાનું મુખકમળ ત્રણ દિવસના ઉપવાસથી કરમાઈ ગયું. આ દશ્ય જોતાં જ શેઠની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. મૂળા પ્રત્યે તેને અત્યંત ક્રાધ ઉપજ્યે પણ હમણાં ચ'દનાને ક'ઈક ભોજન તે કરવુ. રસેાડામાં જઈ તપાસ કરતાં કઇ પણ ન મળ્યું. ફક્ત એક બાજુ ખૂણામાં સૂપડામાં અડદના બાકળા પડયા હતા, તે લઈ આવી ચંદનાને આપતાં કહ્યું : “ બેટા, હમણાં તુ આ ખાકળાનુ ભાજન કર, હું હમણાં જ લુહારને બેલાવી આવુ છું.” "" ચંદના વિચાર કરે છે કે જીવનના રંગ કેવા વિચિત્ર છે ! કયાં રાજકુમારીનુ` જીવન ? કેવી રીતે સપડાઈ ? કયાં કેવી રીતે વેચાણી અને પરિણામે આજે કેવી દશા !! ત્રણ દિવસના ઉપવાસને અંતે પણ બાકળા મળ્યા ! પણ જો કોઈ અતિથિ આવી ચઢે તા પણ મારું કલ્યાણ થાય. 66 વીર પરમાત્માએ ઘેર અભિગ્રહ ધારણ કર્યાં છે. કોઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બની હોય, પગમાં લેતાની એડી હાય, માથે મુંડો કરાવ્યો હોય, ભૂખી હોય, રડતી હાય, એક પગ અંદર અને એક પગ ઉંબરાની મહાર રાખીને બેઠી હાય, ખાવા માટે અડદના બાકળા હાય, તે ખાકળા મને વહેારાવે, તે જ મારે ભિક્ષા ગ્રહુણ કરવી. આવા ઘાર અભિગ્રહ કેવી રીતે પૂર્ણ થાય ? પાંચ
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy