________________
તપનો મહિમા
આ અનાદિ સંસારમાં અનંતકાળથી ચાલી રહેલાં જન્મ-મરણનાં વિષચકને વિખેરવા માટેનું અમેઘશસ્ત્ર તે તપ છે. આવા વિનવિદારક, વિકાર વિનાશક, આત્મવિકાસક, ભવશેષક અને પુણ્યપષક તપધર્મને સંયમનાં સ્વાંગથી સજ્જ બનીને આરાધનારા અનેક આત્માઓ કર્મના મર્મને ભેદીને, ભવની બેડીને છેદીને મુક્તિધામે પહોંચી ગયા છે. એવા તે મહાન પુરુષનાં મૌલિક આદર્શને લક્ષમાં રાખી મુનિજીવનનાં પ્રાણસમાં તપાધર્મની આરાધનામાં અવિરતપણે રત થયેલાં પૂજ્યપાદ તપેનિધિ મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મહારાજે ૧૦૮ અખંડ ઉપવાસની ઉગ્ર, કઠિન અને વિરલ તપશ્ચર્યા પૂર્ણ કરી છે.
यद् दूरं यद् दुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यम् तपो हि दुरतिक्रमम् ॥ તપશ્ચરણની આવશ્યકતા–
જીવની ચાર ગતિ પૈકી મનુષ્યગતિને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. જે કે દેવગતિમાં સુખ-સાહ્યબીની કમીના નથી હતી, પરંતુ સર્વોત્કૃષ્ટ સુખ-મેક્ષ–ની પ્રાપ્તિ માટે તે મનુષ્યગતિ સિવાય બીજું કઈ ઉત્તમ સાધન નથી. આ જ