SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્ગતિનિવારણ તપ ૩૦૧ ૧. નરક-રત્નપ્રભા વિગેરે સાત નરકભૂમિમાં રહેતા નારક કહેવાય છે. આ જ પરસ્પર એકબીજાને અતિકષ્ટ આપે છે, તેમજ તીવ્ર કષાયવાળા મિથ્યાદષ્ટિ પરમધામિક દેવે પણ સ્વભાવથી આ નારક છેને અનેક પ્રકારનાં અતિદારુણ દુઃખ આપે છે. ૨. તિર્યચ-૧. જળમાં રહેનારા મગર, માછલાં વગેરે, ૨. સ્થળ પર વિચરનારા ચતુષ્પદ ગાય, હરણ, વિગેરે, ૩. સાપ વિગેરે પેટે ચાલનાર અને ૪. નેળીયા વિગેરે ભુજાથી ચાલનાર, તેમજ ૫ ખેચર–આકાશમાં ચાલનારા, પીછાની પાંખવાળા પિોપટ, મેર વિગેરે અને ચામડાની પાંખવાળા ચામાચીડીયા વિગેરે. ૩. મનુષ્ય-કમર્ભુમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપમાં રહેનારા. કર્મભૂમિ ૫ ભરત, ૫ એરવત અને ૫ મહાવિદેહ કુલ પંદર છે. ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ-એ ૩૦ અકર્મભૂમિ છે. જે ભૂમિમાં કૃષિ વિગેરે કર્મો ન થાય તે અકર્મભૂમિ કહેવાય, આ અકર્મભૂમિમાં યુગલિક મનુષ્ય જ વસે છે. હિમાવાન અને શિખરી એ બે પર્વતની પૂર્વે અને પશ્ચિમે બે-બે છેડાઓ ગજદંતને આકારે લવણસમુદ્રમાં દૂર ગયેલ છે. તે એક એક છેડા પર સાત સાત અંતદ્વીપ છે. તે. છપ્પન અંતદ્વીપમાં પણ યુગલિક મનુષ્ય વસે છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy