SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શિવકુમાર અસર ન થઈ. તેના પિતાએ તેને ધર્મમાર્ગે વાળવા પણ પ્રયત્ન કર્યો છતાં તેમાં પણ તેને નિષ્ફળતા મળી. છેવટે તેના પિતાએ તેને એકાંતમાં લાવી કહ્યું : પુત્ર, બીજું તે કાંઈ નહીં પરંતુ જ્યારે તારા પર ભયંકર આફત આવી પડે ત્યારે તું “નવકાર મંત્રને યાદ કરજે, તારી સર્વ આફત તેને સ્મરણ માત્રથી નાશ પામી જશે. પિતાના અતિશય આગ્રહથી તેણે નવકારમંત્ર શીખી લીધે. લંપટી અને જુગારી લેકેના સંસર્ગથી શિવકુમારની બધી સંપત્તિ નાશ પામી ગઈ. દ્રવ્યનાશ પામવાથી તેને કઈ પણ આદરસત્કાર કરતું નથી. મિત્રવર્ગ પણ તેને છેડી ગયે. નિસ્તેજ બનેલા શિવને એકદા એક ત્રિદંડી યોગીને મેળાપ થયું. તેણે તેની નિસ્તેજતાનું કારણ પૂછયું એટલે શિવે પિતાની નિર્ધનતાનું દુઃખ વ્યક્ત કર્યું. પરિવ્રાજક શિવ જેવા સુલક્ષણા કુમારને ભેગ આપવા માગતે હતો. તેણે તેને પોતાની જાળમાં ફસાવીને કહ્યું : “હે શિવ ! જે તું મારું કહ્યું માને તે ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય. ” શિવે તે સ્વીકાર્યું એટલે પરિવ્રાજકે કહ્યું કે-રમશાનમાંથી કઈ પણ અક્ષત શબ (મડદું) લઈ આવ. કાળી ચદશની ભયંકર રાત્રિ આવતાં પરિવ્રાજક શિવને તે શબ તથા પુષ્પાદિક સામગ્રી લઈ ભયાનક ક્ષશાનભૂમિમાં આવવા કહ્યું. મશાન ભૂમિમાં ત્રિદંડીએ એક ભવ્ય માંડલું બનાવ્યું. તેમ કરવા માટે સુંદર વાટિકા
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy