SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરત્ન રત્નાકર સંપૂર્ણ આહાર બત્રીશ કવળને છે, તેથી એકત્રીશ કવળ સુધી કિચિઠ્ઠના ઊદરિકા થાય છે. આ પ્રમાણે પાંચે પ્રકારની ઊદરિકા પંદર દિવસે પૂર્ણ થાય છે. સ્ત્રીઓને સંપૂર્ણ આહાર અઠ્ઠાવીશ કવળને છે, તેથી તેને આશ્રયીને પાંચ પ્રકારની ઊરિક આ પ્રમાણે જાણવીએકથી સાત કવળ સુધી અલ્પાહારા ૧, આઠથી અગિયાર કવર સુધી અપાર્ધા, ૨. બારથી ચોદ કવળ સુધી દ્વિભાગ ૩. પંદરથી એકવીશ કવળ સુધી પ્રાપ્તા ૪. તથા બાવીશથી સત્તાવીશ કવલ સુધી કિંચિદૃના ઊદરિકા ૫ આ પ્રકારે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. અલપાડારા ઊદરિકા એક તથા બે ગ્રાસવડે જઘન્ય, ત્રણ, ચાર તથા પાંચ ગ્રાસવડે મધ્યમ અને છ તથા સાત ગ્રાસવડે ઉત્કૃષ્ટ ૧. અપાર્ધા ઊદરિકા આઠ ગ્રાસવડે જઘન્ય, નવ ગ્રાસે કરીને મધ્યમ અને દસ તથા અગિયાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૨. દ્વિભાગ ઉનેદરિકા બાર ગ્રાસે કરીને જઘન્ય, તેર ગ્રાસવડે મધ્યમ અને ચૌદ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૩. પ્રાપ્તા ઊદરિકા પંદર તથા સોળ ગ્રાસે કરીને જઘન્ય, સત્તર, અઢાર અને ઓગણીશ ગ્રાસવડે મધ્યમ અને વીશ તથા એકવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી છે. તથા કિ ચિદ્રના ઊદરિકા બાવીશ તથા ત્રેવશ કવળવડે જઘન્ય, વીશ તથા પચીસ ગ્રાસવડે મધ્યમ, અને છવ્વીશ તથા સત્તાવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી પ. આ પ્રમાણે પંદર દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ દ્રવ્ય ઊદરિકા જાણવી.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy