SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આ આગ અર્ધમાગધી ભાષામાં રચાયેલાં છે. કે જે તે વખતની લોકભાષા હતી, અને અઢાર દેશની ભાષાના મિશ્રણ રૂપ હેઇ સર્વને સમજવામાં ઘણું સરળ પડતી હતી. આ આગમને અર્થ પ્રકાશવા માટે પ્રાકૃત ભાષામાં ભાષ્ય નિયુકત તથા ચૂર્ણિએ રચાયેલી છે, અને સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ટીકાઓનું નિર્માણ થયેલું છે, આ રીતે મૂળ, ભાષ્ય, નિર્યુકિત, ચૂર્ણિ અને ટીકારૂપ શાસ્ત્રનાં જે પાંચ અંગો નિર્માણ થયાં તેને પંચાંગી કહેવામાં આવે છે. અને તેના આધારે જ જૈન ધર્મને હાલને વ્યવહાર ચાલી રહ્યો છે. આ આગમ સાહિત્ય ઘણું વિસ્તૃત છે, અને તેને સારી રીતે પરિચય આપવા માટે તે એક વિશાળકાય સ્વતંત્ર ગ્રંથની રચના કરવી પડે, એટલે અહીં તો તેના નામ અને તેમાં આવતા વિષને જ નિર્દેશ કરીશું. ૧૧ અંગસૂત્ર (૧) આચારાંગ-એમાં સાધુઓના આચાર, ગોચરીવિધિ, વિનય સંયમ તથા પાંચ આચાર વગેરેનું વર્ણન છે. (૨) સૂત્રકૃતાંગ-એમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદીઓના મળીને પાખંડીને ૫૬૩ ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે અને શુદ્ધતત્ત્વનું નિરૂપણ કરેલું છે. - (૩) સ્થાનાંગ–એમાં એકથી દશ સંખ્યા સુધીના અનેક ભાવોનું સુંદર સ્વરૂપ દર્શાવેલું છે. (૪) સમવાયાંગ–એમાં એકથી સે પર્યન્તની સંખ્યાવાળા પદાર્થોને સંગ્રહ કરવામાં આવ્યું છે.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy