________________
અઢાર : ૫૩ :
ક્યાલય (૧૬) અનતકાય વનસ્પતિ બે પ્રકારની છે. પ્રત્યેક અને સાધારણ તેમાં એક શરીરને વિષે એક જીવ હોય તેને પ્રત્યેક કહેવામાં આવે છે અને એક શરીરમાં અનંત જ હોય તેને સાધારણ કહેવામાં આવે છે. શરીર શબ્દથી ફળ, ફૂલ, છાલ, કાક, મૂલ, પાંદડાં અને બીજ એ દરેક પૃથફ પૃથફ સમજવા. તાત્પર્ય કે તે દરેકનું એક સ્વતંત્ર શરીર ગણાય છે.
પ્રત્યેક અને સાધારણ વનસ્પતિને ઓળખી કાઢવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ નીચેનાં લક્ષણે બતાવેલાં છે
સ-સંધિ-વુિં, સમાની ર બિછું साहारणं सरीरं, तविवरिअं च पत्तेयं ॥
જેની નસે, સાંધા કે ગાંઠે સ્પષ્ટ ન હોય; જેને ભાંગવાથી સરખા ભાગે થતા હોય; જે તાંતણાથી રહિત હોય; જેને છેદીને વાવવામાં આવે તે પણ ફરી ઊગે, તેને સાધારણ શરીરવાળી વનસ્પતિ જાણવી અને બાકીની વનસ્પતિને પ્રત્યેક જાણવી.
આ પ્રત્યેક અને સાધારણ વનસ્પતિઓ પૈકી સાધારણ વનસ્પતિને વ્યવહાર અનંતકાયનાં નામથી કરવામાં આવે છે, કારણ કે તેની એક કણીમાં પણ અનંત જ હોય છે.
અનંતકાયમાં નીચેની ૩૨ વનસ્પતિઓની ગણના મુખ્ય છેઃ (૧) સુરણ. (૨) વજકંદ, (૩) લીલી હળદર,