SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ * પુષ્પ ધર્મબોધ-થથમાળા : ૮૨ : પછી એક પ્રણિપાત કરીને બેસવાની ઈચ્છા પ્રદર્શિત કરવામાં આવે છે, તથા બીજે પ્રણિપાત કરીને બેસવાની આજ્ઞા માગવામાં આવે છે અને તે જ રીતે એક પ્રણિપાત દ્વારા સવાધ્યાય કરવાની ઈચ્છા પ્રદર્શિત કરવામાં આવે છે તથા બીજા પ્રણિપાત દ્વારા સ્વાધ્યાયની આજ્ઞા માગવામાં આવે છે અને તે આજ્ઞા મળી જતાં ત્રણ વાર નવકાર (નમસ્કાર) બેલી સામાયિકની સાધના કરવામાં આવે છે. આ સાધનામાં સ્વાધ્યાયની મુખ્યતા હોય છે, એટલે બધું સાંસારિક કામ છેડીને સૂત્ર-સિદ્ધાંતનું પઠન-પાઠન કરવામાં આવે છે, અનાનુપૂર્વી ગણવામાં આવે છે કે માળા ફેરવી અરિહંતેને જાપ કરવામાં આવે છે. આવી રીતે બે ઘડી સુધી સ્વાધ્યાય વગેરે દ્વારા આત્માને સમભાવ કે સમતામાં રાખવાથી એક સામાયિક થયું ગણાય છે. આવાં સામાયિકે ઇરછા હોય તેટલાં કરી શકાય છે, પરંતુ ત્રીજું સામાયિક પારીને ચોથું કરવું જોઈએ. સામાયિકનો સમય પૂરો થયે તેને વિધિપુરસર પારવામાં આવે છે. તે આ રીતે–પ્રથમ પ્રણિપાત કરીને ઈર્યાપથપ્રતિક્રમણ કરવામાં આવે છે અને મુહપત્તિ પડિલેહવા વગેરેને તમામ વિધિ સામાયિક લેતી વખતે કર્યું હતું તેમજ કરવામાં આવે છે. પછી પ્રણિપાત કરીને સામાયિક પારવાની આજ્ઞા માગવામાં આવે છે ત્યારે ગુરુ કહે છે કે પુણો વિ લાવવો ફરી પણ કરવા એગ્ય છે. પછી બીજે પ્રણિપાત કરીને સામાયિક પારવાની અનુમતિ મગાય છે ત્યારે ગુરુ કહે છે કે
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy