SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : : 3પ : બે ઘડી છે સાથે સંન્યાસ ધારણ કર્યો. પછી પિતા પુત્ર એક આશ્રમમાં રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા. એવામાં અમાવાસ્યાને દિવસ આજે, એટલે આશ્રમમાં ઘોષણ થઈ કે “આવતી કાલે અમાવાસ્યા છે, માટે ફળફૂલને જે સંગ્રહ કર ઘટે તે કરી લેશે. કાલે કંઈ પણ ફળફૂલ તેડવા કલ્પતાં નથી.” આ શેષણ સાંભળીને ધર્મરુચિ વિચાર કરવા લાગ્યા કે “ફળફલ કાલે તેડવા કલ્પતાં નથી, તે આજે તેડવાં પણ કેમ કલ્પ માટે જીવનભર ના તેડાય તે સારું.” પછી બીજી અમાવાસ્યા આવી, ત્યારે ધર્મરુચિએ આશ્રમની નજીકમાં કેટલાક નિર્ગથે સાધુઓને જોયા અને તેમને પૂછયું કે “હે ભગવંતે! તમે અનાકુષ્ટિ (હિંસા ન કરવી તે) પાળે છે કે નહિ?” ત્યારે નિથ સાધુઓએ કહ્યું: “અમારે તે જીવનભરની અનાકુદ્ધિ હોય છે અને તેઓ ચાલ્યા ગયા. ધર્મચિ સંભ્રાન્ત થઈને વિચાર કરવા લાગ્યા કે “જીવનભરની અનાકુદ્ધિ કેમ મળે?” એમ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે પૂર્વભવમાં પાળેલું સાધુજીવન યાદ આવ્યું ને જીવનભરની અનાકુટિ કોને કહેવાય? તેની સમજ પડી. પરિણામે જાતિસ્મરણજ્ઞાનની મૂરછ ઉતરી ગયા પછી તેમણે સર્વ સાવઘ કાર્યોને મન, વચન અને કાયાથી ત્યાગ કરીને જીવનભરની અનાદિ પાળી. અહીં ધર્મચિએ સર્વ સાવઘ કાયૅને ત્યાગ કર્યો તે અનવદ્ય જાણવું.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy