________________
ધોધ-ગ્રંથમાળા
: ૫૬ :
- પુષ્પ
પરતુ વાઘને કાણુ કહે કે તારું મોઢું લેાહિયાળુ છે ? એટલે દત્તની પ્રવૃત્તિ વિનાવિરાધે ચાલી રહી હતી.
એવામાં સામાયિક વ્રતધારી કાલક નામના આચાય ત્યાં આવ્યા અને લેાકેાને ધર્મનું સાચું રહસ્ય સમજાવવા માટે ધપદેશ દેવા લાગ્યા. તેમાં તેમણે ભાવયજ્ઞની પ્રરૂપણા જોરશેારથી કરવા માંડી. આ ઉપદેશના પ્રત્યાઘાતા તુરુમિણીનાં રાજ્યમહેલમાં બે પ્રકારે પડ્યા. તેની માતા જે નિગ્રંથ ધર્મની ઉપાસિકા હતી, તેને ખૂબ આનંદ થયેા અને યજ્ઞદત્ત જે હિંસક યજ્ઞમાં માનતા હતા, તેને ખૂબ લાગી આવ્યું; પરંતુ સસારી પક્ષે કાલિકાચાય તેના મામા થતા હતા, એટલે શુ કરવું તેની સમજ પડી નહિ.
6
એકદા માતાની પ્રેરણાથી તે કાલકાચાર્ય પાસે ગયા અને તેમને પૂછવા લાગ્યા કે આપ શાસ્ત્રજ્ઞ છે તે જવાબ આપે કે યજ્ઞનું ફળ શું ?
’
,
કાલિકાચાર્યે કહ્યું: ‘ હિંસામય યજ્ઞનુ` કુલ નરકગતિ છે.
6
દત્તે પૂછ્યું: એ કેમ મનાય ? ‘ સ્વર્નામઃ પશુમાજમેન્’ વગેરે શ્રુતિ વાકયાથી તેનુ' લ સ્વ
છે, એમ જણાય છે. ’
કાલિકાચાર્યે કહ્યું: ‘ અહીં પશુ શબ્દથી ચાર પગવાળાં નિર્દોષ પશુ સમજવાનાં નથી, પણ પેાતાની પશુ જેવી વૃત્તિએ સમજવાની છે. તેનુ બલિદાન દેવાથી સ્વ સુખ જરૂર મળી શકે, પર ંતુ હિંસક યજ્ઞાનું ફૂલ તે નરક ગતિ જ છે. ’ દત્તે પૂછ્યું: ‘ એનું કંઈ પ્રમાણુ ?'