SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ પુષ ધર્મબોધ-ચંથમાળા : ૫૪ : પેટ ચીરીને જવલાં કાઢી લેશે, માટે મૌન રાખવું જ ઉચિત છે. અને તેઓ કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ઊભા રહ્યા. આથી સનીને વહેમ પડ્યો કે “જવલાં મુનિએ લીધાં લાગે છે, નહિ તે જવાબ કેમ ન આપે?” અને તેણે કહ્યું: હે મુનિ ! આ તમને શુભતું નથી. અથવા તે મુનિના વેશમાં તમે કઈ ઠગ જણાઓ છે, જેથી મારા બધાં જવલાં સફતથી ઉઠાવી લીધાં.” પરંતુ મેતાર્ય મુનિએ પિતાનું મન ચાલુ રાખ્યું. આ જોઈને સનીને ભારે ક્રોધ આવ્યું ને તેણે પિતાનાં ગયેલાં જવલાં પાછાં મેળવવાં માટે મુનિનાં મસ્તક પર લીલી વાધરી બાંધી દીધી તથા તેમને તડકામાં ઊભા રાખ્યા. મેતાર્ય મુનિએ પિતાના અહિંસાવ્રતને ખ્યાલ કરીને તેને કંઈ પણ પ્રતિકાર ન કર્યો. બળતા બપારમાં વાધરી સૂકાતી ચાલી અને તેનું બંધન ખૂબ તંગ થતું ગયું. પરિણામે મેતાર્ય મુનિને અસહ્ય વેદના થવા માંડી, છતાં તેમણે પિતાને શુભ નિશ્ચય છોડ્યો નહિ. આ વખતે તેઓ એક જ વાત વિચારી રહ્યા હતા કેજિનેશ્વરને સમય (સિદ્ધાંત-શાસન-આજ્ઞા) શું કહે છે? કઈ પણ પ્રાણીના પ્રાણને પરિતાપ ઉપજાવવો નહિ. માટે તે અંગે જે કંઈ સહન કરવું પડે તે સમભાવે સહન કરી લેવું.” વાધરી વિશેષ ને વિશેષ સંકેચાતી ગઈ અને મુનિનું મન વિશેષ ને વિશેષ પવિત્ર થતું ગયું. પરિણામે મસ્તકની પરી તૂટી ગઈ પણ તૂટતાં પહેલાં કર્મોની જાળને તેડતી ગઈ. તાત્પર્ય કે તેઓ અંતગડ (અતકૃત) કેવલી થયા.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy