SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : - ૨૭ : બે ઘડી યગ સમજવા. ગરા કહેતાં અર્થગત ધર્મવ્યાપાર તેમાં અર્થથી સૂત્રને અભિધેય વિશેષ સમજે. આર્જવા કહેતાં આલંબનગત ધર્મવ્યાપાર. તેમાં આલંબનથી પ્રતિમાદિ બાહા વિષયનું ધ્યાન સમજવું અને દિત કહેતાં આલંબન રહિત ધર્મયાપાર. તેને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ સમજવી. તાત્પર્ય કેકેઈ પણ સુખાસનને સ્વીકાર કરીને વીતરાગ મહાપુરુષોએ કહેલાં સારાભૂત વચને અને તેના અભિધેય વિષયનું અનન્ય શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું તથા તેમની પ્રતિમા વગેરેનું આલબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્ય આલંબનેને. ત્યાગ કરીને નિજ સ્વરૂપમાં જ મગ્ન થવું તે રોગની ક્રિયા છે. અન્ય સ્થળે તેમણે યોગને પરિચય આ રીતે આવે છે अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद्योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥ १ ॥ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય મેક્ષમાં જોડનારા હેવાથી એમ કહેવાય છે. ગની આ પાંચે ભૂમિકાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, એટલે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી ધ્યાન પ્રકટે છે, ધ્યાનથી સમતા પ્રકટે છે અને સમતા પ્રકટવાથી વૃત્તિને સંપૂર્ણ ક્ષય થાય છે, જે પરમાત્માની અવસ્થા છે. અધ્યાત્મની ઓળખાણ આપતાં તેમણે કહ્યું છે કેअध्यात्ममत्र परम-उपायः परिकीर्तितः। गतौ सन्मार्गगमनं, यथैव पप्रमादिनः ॥१॥
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy