SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : ૨૫ : બે ઘડી યાગ આત્મા અથવા જીવાત્મા એટલે સામાન્ય કે અહિ ખ આત્મા. તે જેના વડે પરબ્રહ્મમાં જોડાઈ શકે-લીન થઈ શકે કે પરમાત્મપદની સાથે સચાગ પામી શકે તે યોગ. અહીં ‘યોજ્ઞનાવ્ યોઃ 'એ વ્યુત્પત્તિના આધાર લેવામાં આવ્યે છે અને સામાન્ય આત્માનું ઉત્થાન કરીને તેને પરમાત્મા બનાવી શકે તેવી ક્રિયાને ચેાગની સુજ્ઞા આપવામાં આવી છે. બહિર્મુખ આત્મા અને પરમાત્મામાં તફાવત એ હોય છે કે—પહેલામાં ચિત્તની વૃત્તિઆના ઘણા જ વિક્ષેપ હાય છે, ત્યારે ખીજામાં તે તમામ વૃત્તિએ સમાહિત થઈ ગયેલી હાય છે. એટલે ચિત્તવૃત્તિઓના નિરાધ કરીને તેને સમાહિત બનાવનારી જે ક્રિયા તે ચેાગ, એમ કહેવામાં પણ મુખ્ય આશય બહિર્મુ ખતાને દૂર કરી અંતમુ ખતા પ્રકટાવવાના અને એ રીતે આત્મસ્વરૂપમાં તદાકાર થઈને છેવટે પરમાત્મપદ પામવાના છે. આત્માના ઉત્થાન માટે જે ક્રિયાએ અવશ્ય કરવા યાગ્ય છે, તે કમ ” કહેવાય છે. આવું કમ કરવામાં કુશલતા રાખવાથી અહિંસુ ખતા ટળતી જાય છે, અંતમુ ખતા પ્રકટતી જાય છે અને છેવટે પરમાત્માના પ્રકાશ થાય છે. એટલે કર્મની કુશલતાનુ તાત્પર્ય પણ પરમાત્મપદની પ્રાપ્તિ જ છે. રાગથી ખરડાવું નહિ કે દ્વેષને વશ થવુ" નહિ, તેને સમત્વ કહેવાય છે. આવું સમત્વ ઉત્પન્ન થતા વીતરાગતા પ્રકટે છે અને તે જ પરમાત્માની સ્થિતિ છે. એટલે સમત્વથી પણ આત્માને પરમાત્મા બનાવનારી ક્રિયા જ અભિપ્રેત છે.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy