________________
: ૧૯ :
બે ઘડી વેગ સંભળાવ્યો, તેને અક્ષરશઃ સાચે માન્ય અને “દુષ્કર! દુષ્કર ! દુષ્કર !” એવા શબ્દવડે અભિનંદન આપ્યાં.
. આ વખતે. સિંહની ગુફા આગળ ચાતુર્માસ ગાળીને આવેલા એક મુનિ પાસે જ ઊભા હતા અને ગુરુએ તેમને માત્ર “દુષ્કર” એવા શબ્દો કહ્યા હતા, એટલે તેમનું અભિમાન ઘવાયું અને હદયમાં ઈષ્યને સંચાર થયોઃ “હું સિંહની ગુફા આગળ ચાર ચાર મહિના રહ્યો તેને માટે ગુરુએ માત્ર દુષ્કર” એટલા જે શબ્દો કહ્યા અને આ સ્થૂલભદ્ર શહેરમાં રહ્યા, વેશ્યાને ત્યાં રહ્યા, તેની ચિત્રશાળામાં વસ્યા અને ભાતભાતનાં ભેજન જગ્યા, છતાં તેને “દુષ્કર, દુષ્કર, દુષ્કર” એમ ત્રણ વાર કહ્યું, માટે બીજા ચાતુર્માસ વખતે હું પણ ત્યાં જ જઈશ અને ગુરુના મુખે ત્રણ વાર દુષ્કર બોલાવીશ.
બીજું ચાતુર્માસ આવ્યું અને મુનિઓએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ ગાળવા માટે ગુરુ પાસેથી આજ્ઞા મેળવી, ત્યારે આ મુનિએ કહ્યું: “હું કેશા વેશ્યાને ત્યાં રહીને ચાતુર્માસ ગાળીશ.” ગુરુએ કહ્યું: ‘એ કામ ઘણું દુષ્કર છે, માટે આવી પ્રતિજ્ઞા ન કરે.” છતાં મુનિએ આગ્રહ કર્યો, એટલે ગુરુએ “ભવિતવ્યતા અપરિહાર્યા છે ? એમ માનીને તેમને રજા આપી.
આ મુનિ કેશાને ત્યાં આવ્યા અને વસતિની માગણી કરી એટલે ધર્મને રાહ સમજી ચૂકેલી કેશાએ તેમની માગણી કબૂલ રાખી અને પિતાના મંદિરમાં આવેલા વિવિધ ખંડે બતાવીને તેમને કઈ પણ ખંડ પસંદ કરી લેવાને જણાવ્યું. ત્યારે મુનિએ પેલી ચિત્રશાળાની પસંદગી કરી. આથી