SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી : ૩૩ : સાચું અને પાપબુદ્ધિએ કહ્યું: ‘જો તમે મારા કહ્યા પ્રમાણે નહિ કરા તે આપણા બધાનેા નાશ થશે. ’ છેવટે તેના પિતાએ એ વાત કબૂલ કરીને રાત્રિના અધ કારમાં તે ખીજડાની બખોલમાં જઈને બેઠો. 6 સવારે અધિકારીએ સાથે, ધર્મબુદ્ધિ અને પાપમુદ્ધિ ધનવાળી જગાએ ગયા. ત્યાં કેટલાંક શાસ્રવચના સંભળાવતાં વૃક્ષમાંથી એવાં વચને નીકળ્યાં કે આ ધન ધબુદ્ધિએ હરી લીધુ છે.” આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા અધિકારીએ ધર્મબુદ્ધિને શું દડ દેવા તેના વિચાર કરવા લાગ્યા. એવામાં ધર્મ બુદ્ધિએ જે વૃક્ષમાંથી વાણી નીકળી હતી, તેની આસપાસ થોડું સૂકું ઘાસ પાથરીને તેને સળગાવ્યું અને તેમાં જલી સળગી ઊઠે તેવાં લાકડાં તથા ખીજાં બ્યા નાંખ્યા. આથી ચેાડી વારમાં તે વૃક્ષ સળગી ઊઠયું અને તેમાંથી એક અધદુગ્ધ પુરુષ કરુણુ ક્રંદન કરતા બહાર નીકળી આન્યા. રાજ્યાધિકારીઓએ તેને પૂછ્યું કે ‘એલ! તુ કાણુ છે ?” એટલે તેણે જવાખ આપ્યા કે ‘ દુષ્ટ પુત્રે મારી આ દશા કરી છે, ’ અને તે તરત જ મરણ પામ્યા. રાજ્યાધિકારીએ બધી વાત પામી ગયા, તેથી તેમણે ધમબુદ્ધિનું ધન પાછું અપાવ્યુ ને પાપમુદ્ધિને શૂળીની શિક્ષા કરી. તાત્પ કે ‘ કુબુદ્ધિનું ફળ અત્યંત ભયકર છે.” બુદ્ધિના પ્રકાર પૂર્વ મહર્ષિઓએ બુદ્ધિના ચાર પ્રકારા માન્યા છેઃ (૧)
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy