________________
: ૧ :
ભોંયતળિયું.
સફલતા અને નિફ્લતાનું કારણ એક માણસ એંશી વરસે લાલબુંદ લાગતું હોય, બંને આંખે બરાબર દેખતે હોય અને આખી સોપારી દાંતવડે ભાંગી નાખતા હોય, તો આપણને તરત જ લાગશે કે “ આ માણસે આરોગ્યના કેટલાક નિયમે અણિશુદ્ધ પાળ્યા હશે. તે જ રીતે જે એક પચીશ વર્ષને નવયુવાન સફેદ પૂણી જે જણાતો હોય, આંખે બરાબર જોઈ શકતો ન હોય અને પાયેરિયા જેવા દંતરોગથી પીડાતે હેય, તો આપણને તરત જ લાગશે કે “આ ભાઈસાહેબે આરોગ્યના કેટલાક નિયમોનો ભંગ જરૂર કર્યો હશે.”
' એક માણસ થોડા વખતમાં આગળ તરી આવ્યું હોય, લેકેની ખૂબ પ્રશંસા પામ્યું હોય અને દિનપ્રતિદિન ઉન્નત