SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ ગ્રંથમાળા : ૧૮ • પુષ્પ માત્રથી કેઈએ ગિરિગ પર આરોહણ કર્યું ખરૂં ? શબ્દોના સાથિયા પૂરવાથી કેઈએ યુદ્ધ જિત્યાં ખરાં? અરે ! છાતી પર પડેલું બાર મુખમાં મૂકવું હોય તે પુરુષાર્થની જરૂર પડે છે, અને હાથ હલાવ્યા વિના ગમે તેવું તીક્ષ્ણ હથિયાર પણ કાંઈ કામ આપી શકતું નથી, માટે એ વાત આપણુ રેમ-રેમમાં કસવાની જરૂર છે કે – “મારા પરમવી, પ્રભાસ પરમં વિષા प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः ॥" “ પ્રમાદ આપણે પરમષી છે, પ્રમાદ આપણા માટે કાતિલ ઝેર છે, પ્રમાદ આપણા મુકિતમાર્ગમાં અંતરાય કરનાર દુષ્ટ ચોર છે અને પ્રમાદ સાક્ષાત્ નરકનું ધામ બને છે.” - પુરુષાર્થનાં પાંચ અંગો પુષાર્થનાં મુખ્ય અંગો પાંચ છે, (૧) ઉત્થાન (૨) કર્મ (૩) બલ (૪) વીર્ય અને (૫) પરાક્રમ. ઉત્થાન એટલે ઉઠવું કે ઉઠીને ઊભા થવું. કર્મ એટલે ક્રિયા કરવી કે કામે લાગવું. બળ એટલે મને બળ, વચનબલ, કાયબળને ઉપગ કર. વીર્ય એટલે આત્મશક્તિને જાગૃત રાખવી, ઉત્સાહ રાખવે અને પરાક્રમ એટલે વિને કે અંતરાયને ઓળંગી જવા. આ અંગે સ્પષ્ટ ખ્યાલ નીચેના ઉદાહરણથી આવી શકશે. (૧) એક મનુષ્ય અર્થોપાર્જન કરવાની ધારણું રાખે છે, તે પહેલાં તે કઈ પણ પ્રકારને ધ, વ્યાપાર કે રોજગાર કરવા તત્પર થશે. પછી તે અમુક ધંધે, અમુક વ્યાપાર કે
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy