SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધમાળા જ પુષ અસમંજસ વ્યવહારનું પરિણામ એ આવ્યું છે કે-લે કર્તવ્યહીન બનતા જાય છે, ગમે તેવાં અકાર્યો કરવામાં પણ તત્પર બનતા જાય છે અને જીવન-વ્યવહારમાં ચલાવવા માટેની સામાન્ય નીતિના સિદ્ધાંત પણ છોડતા જાય છે. ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધાએ જે નુકશાન કરેલું કહેવાય છે, તેના કરતાં અનેકગણું વધારે નુકશાન આ તર્ક પૂર્ણ કર્તવ્યવિહીનતાએ કર્યું છે અને તેને પ્રચાર હજી પણ ચાલુ રહેલો છે; એટલે બીજું કેટલું નુકશાન થશે તેની તે કલ્પના જ કરવી રહી. મહાપુરુષોએ જે સીડીને મજબૂત બનાવવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે, પ્રાજ્ઞ પુરુષોએ જે સીડીને સુંદર બનાવવા માટે યુક્તિયુક્તતાને અનુપમ ઓપ આપે છે અને ઉપકારી પુરુષોએ જે સીડીની વ્યવસ્થા માત્ર આપણું પામરે પ્રત્યેની હિતબુદ્ધિથી જ કરી છે, તેને લાભ લેવા જેટલી સન્મતિ પણ ન બતાવીએ તે આપણા જેવા મહામૂર્ખ બીજા કેણ હોઈ શકે? આ પરમપુરુષએ આપણું કાન ઉઘાડવા માટે જ કહ્યું “ધીય શાસ્ત્રાળ મવનિ પૂ. यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि, न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥" મનુષ્ય વિવિધ શાસ્ત્રને અભ્યાસ કરવા છતાં “મૂર્ખ રહે છે. (સુંદર સિદ્ધાંતે જાણવા છતાં તેને લાભ ન લે તે મૂર્ખ
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy