SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ છે. વળી શ્રીજિનેશ્વરે પિતે પણ “નમેસિદ્ધાણં' પદ લીને સમવસરણમાં બેસે છે. માટે પાંચને પૂજ્ય તરીકે સરખા માનવામાં કશ વધે જણાતું નથી. ' એ જ પ્રમાણે ભવિષ્યમાં થનારા, પાંચપરમેષ્ટિભગવતેને વિચારીએતે, હાલમાં બધા જ ચારગતિમાં રહેલા હોવાથી અધાની સમાનતા છે. તેમાંના કેઈ સાધુ થઈને, કેઈ વાચક થઈને, કોઈ સૂરિ થઈને, વહેલા મેક્ષમાં જાય અને અરિહંત પ્રભુના જીવ હજી ચાર ગતિમાં ફરવાના હોય તે, વહેલો ગુણ પામેલો સાધુને આત્મા, મેડા ગુણ પામનાર અરિહંત પ્રભુના આત્માને પણું, વંદનીક હોય છે. એટલે ત્રણેકાળના ગુણોને અભેદે વિચારતાં પંચપરમેષ્ઠિભગવંતેને નાના-મોટા ગણવાની જરૂર રહેતી નથી. વળી વર્તમાનકાળના પંચપરમેષ્ટિભગવંતેને વિચારીયે તે પણ, વીશ અને ચકવીશ જિનેશ્વરેના પરિવારભૂત અને પરંપરામાં થનારા સૂરિ, વાચક ને મુનિરાજે અસંખ્યાતા છે. તે સર્વના ગુણે અનંતા થાય છે, એટલે ગુણોની વિચારણાએ વર્તમાનકાળના પરમેષ્ઠિભગવંતને સમાનભાવે પૂજ્ય માનવામાં કશે વાંધો નથી. આ પાંચે પરમેષ્ઠિભગવંતેને કરાએલે નમસ્કાર તે વળી ત્રણે કાળની અભેદ વિચારણા કરીએ તે પણ, શ્રેણિક અને કૃષ્ણ-સુલતા-દેવકી વિગેરે તીર્થકરના પણ વર્તમાન સાધુ-વાચક સૂરિને વાંદતા હતા. અને વર્તમાન સૂરિ-વાચક સાધુઓ “જે જ મક્કા કરતા તે જ વરરંતિના હૈ” ગાથા વડે ત્રણે કાળના તીર્થકરે અને સિદ્ધને વંદન કરે છે.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy