SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ૧ આર્યદેશમાં જન્મેલા હોય, તેવા આત્માને બંધ જલિદ થાય છે, માટે, આચાર્ય બનનાર આત્મા, આર્ય દેશમાં જન્મેલા હોવા જોઈએ. ૨ કુળવાન એટલે કુળ ખાનદાન હેય. અકલંક-દૂષણ રહિતપિતાના કુળમાં જન્મેલા આત્મા આચાર્યપદને ગૃહોય છે. ૩ જાતિસંપન્ન-ઉચ્ચકુળમાં જન્મેલી અને શીલાદિ ગુણધારિણે માતાના પુત્ર હોય તેવા આત્માને આચાર્યપદ આપવું વ્યાજબી ગણાય. અર્થાત્ જાતિસંપન્નતા પણ આચાર્ય થનાર આત્મામાં જરૂર હેવી જોઈએ. તેવા આત્મામાં જ વિનય, નમ્રતા, સજજનતા અને કોમલતા હોઈ શકે છે. ૪ બહુ રૂપાલા હેય. પરંતુ કદરુપ, ઠીંગણ-ઢીચકા મનુષ્યને આચાર્યપદ બીસ્કુલ શેભે નહિ. એવા મનુષ્યની પ્રતિભા પડે નહિ. તેથી લોકો ઉપર ધર્મની અસર થાય નહિ, આચાર્યભગવતે શ્રીજૈનશાસનના રાજવી ગણાય છે. ચતુર્વિધસંઘ તેમની આજ્ઞાનું પાલન કરે છે, માટે આચાર્ય ઉપરના ચાર વિશેષણોથી યુક્ત હેવા જોઈએ. પ સંઘયણ–આચાર્ય થનાર આત્મા સુંદર સંઘયણવાળા હોય. અર્થાત્ નિરેગ અને સશક્ત શરીરવાળા હોય. ૬ ધૃતિયુક્ત – આચાર્ય થનાર આત્મા હિંમતવાળા હોય. તેથી ગમે તેવી મોટી સભામાં વ્યાખ્યાદિ કરતાં કે પરવાદી સાથે વાદકરતાં ગભરાય-મૂંઝાય નહિ વળી રાજા અને અધિકારીવર્ગથી ભરેલી સભામાં પણ શ્રીજૈશાસનને પ્રભાવ જમાવી શકે. |. ૭ અનાસક્ત-આચાર્ય થનાર આત્મા વસ્ત્ર-પાત્ર-આહાર–
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy