________________
તેમ જેનું મન શુદ્ધ આત્મગમાં લય પામી જાય છે તેનાં શુભાશુભ કર્મ ગળી જાય છે અને ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થાય છે. ૩૦
જેમ વૃક્ષે આસપાસમાં ઘસાઈને વૃક્ષો જ અગ્નિરૂપ થાય છે તેમ આત્મા આત્માની ઉપાસના કરીને પરમાત્મા સ્વરૂપ થાય છે. મનને નાશ કરનાર પરમાત્માનું જ ધ્યાન છે. મન તથા ઇન્દ્રિયના વ્યાપારે-ક્રિયાએ શાંત થતાં આત્માજ પરમાત્મા થાય છે. ધ્યાનથી સર્વ સાધ્ય છે. ૩૧
પ્રકરણ ૬ ઠું.
કમની સતા તોડવાનું જ્ઞાન કર્મનો સત્તા સામે આત્મા પિતાનું બળ બે પ્રકારે અજમાવી શકે છે. એક કર્મની સામે તેની વિધી કર્મસત્તાને મુકીને. બીજો પ્રકાર એ છે કે કર્મની સત્તા ઉદયમાં આવી એવી પ્રવૃતિ હોય ત્યારે કરવી કે આત્માના પ્રદેશ ઉપર, થતી સુખદુખની લાગણીઓની અસર થવા ન દેવી. ૧
આ બેમાં પહેલો પ્રકાર સહેલું છે. જાગૃત થયેલ આત્મા સહેલાઈથી તે પ્રવૃત્તિ કરી શકે તેમ છે. બીજો પ્રકાર વિશેષ જ્ઞાનીએ સમજી અને કરી શકે તેમ છે. આ નિયમને અનુસરનારાને વિશેષ પ્રકારે આંતરિક બળ ઉપર આધાર રહે છે. ૨