SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ નથી. આહારને સંયમ કરનારમાં મળતા અને નમ્રતા વધે છે. અધિક આહાર કરનારમાં પ્રમાદ વધે છે. ભૂખ્યો માણસ બીજાની મુશ્કેલી સમજી શકે છે, બીજા ઉપર દયાળુ બને છે, પણ અધિક ખાનાર ગરીબોને વિસરી જાય છે. આહારના સંયમથી મન વશ થાય છે. મને નિગ્રહ એ સર્વ ગુણોનું મૂળ છે. નિદ્રા ઓછી આવે છે તેથી પ્રભુસ્મરણ શાંતિથી થાય છે. પેટ ભરી ખાનાર મૃતકની માફક નિદ્રામાં ઘેરાય છે, અધિક નિદ્રાથી આયુષ્ય ઘટે છે, કામની પ્રબળતા વધે છે અને તેથી મન તથા શરીર અને મલિન થાય છે.? - ઓછું ખાનારનો સમય ઘણે બચે છે, વ્યવહારના વિક્ષેપ ઘટે છે, ખાવાને લાલચું જીવે તે માટે સામગ્રી મેળવવામાં આયુષ્યને કિંમતી ભાગ ગુમાવે છે. અધિક આહાર કરનારને ભજનમાં આનંદ મળતો નથી, સ્મૃતિ બહુ ઓછી થાય છે, આળસ વધે છે, દયા ઘટે છે. વિષયેની પ્રબળતા થાય છે, અને મળત્યાગાદિ અનેક વાર કરે પડતાં વિક્ષેપ વધે છે. ઓછા આહારથી આરોગ્યતા વધે છે, વૈદ્ય આદિની જરૂર રહેતી નથી, પૈસાનો અને વખતને બચાવ થાય છે. જેમ જરૂરીયાત એછી તેમ પૈસા કમાવાની પ્રવૃત્તિ વધારે કરવી પડતી નથી, અધિક તૃષ્ણાથી મુક્ત થવાય છે. હૃદય ઉદાર બને છે, વધારે ખાનાર ઉદરંભરી સ્વાર્થિ હેય છે. આહાર એકદમ ઓછો ન કરી નાખે પણ ધીમે ધીમે ઓછો કરે, તેથી શરીર સુખી રહે છે અને કર્મ માર્ગમાં
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy