SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૩. સ્યાદ અસ્તિ નાસ્તિ - સિદ્ધોમાં સ્વગુણોની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે. ૫૮૨ ૪. સ્યાદ વકર્ત્ય – અસ્તિ - નાસ્તિ યુગપત્ છે છતાં એક સમયમાં કહી શકાતી નથી. ૫. સ્યાદસ્તિ અવકતવ્ય - સ્વગુણોની અસ્તિ છે છતાં ૧ એક સમયમાં કહી શકાતાં નથી. ૬. સ્યાદનાસ્તિ વકતવ્ય - પરગુણોની નાસ્તિ છે અને એક સમયમાં કહી શકાતાં નથી. - ૭. સ્યાત અસ્તિ નાસ્તિ અવકતવ્ય - અસ્તિ – નાસ્તિ બંને છે. પણ એક સમયમાં કહી નથી શકાતા. એ સ્યાદ્વાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું જેથી આત્મકલ્યાણ થાય. ઇતિ પ્રમાણ નય વિસ્તાર સંપૂર્ણ. (૮૩) ભાષાપદ. શ્રી પત્રવણા સૂત્રના ૧૧ મા પદનો અધિકાર. (૧) ભાષા જીવને જ હોય છે, અજીવને નથી હોતી, કોઈ પ્રયોગવશ અજીવમાંથી ભાષા નીકળતી સંભળાય છે તે પણ જીવની સત્તા છે. - (૨) ભાષાની ઉત્પતિ - ઔદારિક, વૈક્રિય અને આહારક, એ ત્રણ શરીર દ્વારા જ છે. (૩) ભાષાનું સંસ્થાન - વજ્ર જેવું છે. ભાષાના પુદ્ગલો વજસંસ્થાનવાળાં છે. (૪) ભાષાનાં પુદ્ગલો ઉત્કૃષ્ટ, લોકના છેડા (લોકાંત) સુધી જાય છે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy