SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (પ૯) સંજ્ઞા - પદ શ્રી પન્નવણા સૂત્રના આઠમા પદનો અધિકાર સંજ્ઞા-જીવોની ઇચ્છા. સંજ્ઞા ૧૦ પ્રકારની છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ સંજ્ઞા. આહાર સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. પેટ ખાલી થવાથી, ૨. સુધા વેદનીયના ઉદયથી, ૩. આહાર દેખવાથી, ૪. આહારની ચિંતવના કરવાથી. વેદનીય કર્મના ઉદયથી) ભય સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. અધૂર્ય રાખવાથી, ૨. ભયમોહના ઉદયથી, ૩. ભય ઉપજાવનારા પદાર્થ જોવાથી, ૪. ભયની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી) મૈથુન સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. શરીર પુષ્ટ બનાવવાથી, ૨. વેદમોહના કર્મોદયથી, ૩. સ્ત્રી આદિને દેખવાથી, ૪. કામભોગની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી). પરિગ્રહ સંજ્ઞા ૪ કારણથી ઉપજે - ૧. મમત્વ વધારવાથી, ૨. લોભમોહના ઉદયથી, ૩. ધનમાલ જોવાથી, ૪. ધન પરિગ્રહની ચિંતવના કરવાથી. (મોહનીય કર્મના ઉદયથી) - ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞા ૪ કારણથી ઉપજે. ૧. ક્ષેત્ર (ખુલ્લી જમીન) માટે, ૨. વત્યુ (ઢાંકેલા-મકાનાદિ) માટે, ૩. શરીર-ઉપધી માટે, ૪. ધનધાન્યાદિ ઔષધિ માટે. (મોહનીય કર્મના ઉદયથી). વેદનીય અને મોહનીયનાં ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનાં ક્ષયોપશમથી થવાવાળી અનેક પ્રકારની આહારાદિની પ્રાપ્તિની ક્રિયાને સંજ્ઞા કહે છે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy