SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ આઠ કર્મની પ્રકૃતિ ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મોહનીય. ૨ ચારિત્ર મોહનીયના બે ભેદ, કષાયચારિત્ર મોહનીય, ૨ નોકષાય ચારિત્ર મોહનીય. કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ, નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ, એવું કુલ અઠાવીશ. કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ ૧ અનંતાનુબંધી ક્રોધ, તે પર્વત ફાટયા સમાન; ૨ અનંતાનુબંધી માન, તે પથ્થરના સ્થંભ સમાન; ૩ અનંતાનુબંધી માયા, તે વાંસના મૂળ સમાન; ૪ અનંતાનુબંધી લોભ, તે કિરમજીના રંગ સમાન; એ ચારેની ગતિ નરકની, સ્થિતિ જાવ જીવની, ઘાત કરે સમકિતની. ૫ અપ્રત્યાખ્યાની ક્રોધ, તે તળાવની તિરાડ સમાન; ૬ અપ્રત્યાખ્યાની માન, તે હાડકાંના સ્થંભ સમાન; ૭ અપ્રત્યાખ્યાની માયા, તે ઘેટાંનાં શીંગડાં સમાન; ૮ અપ્રત્યાખ્યાની લોભ, તે નગરની ગટરનાં કાદવ સમાન. એ ચારેની ગતિ તિર્યંચની, સ્થિતિ એક વર્ષની, ઘાત કરે દેશ વતની. ૯ પ્રત્યાખ્યાનવરણીય ક્રોધ, તે વેળુ મધ્યે લીંટી સમાન; ૧૦ પ્રત્યાખ્યાનાવરણીય માન, તે લાકડાના સ્થંભ સમાન; ૧૧ પ્રત્યાખ્યાનાવરણીય માયા, તે ગૌમુત્રિકા સમાન; ૧૨ પ્રત્યાખ્યાનાવરણીય લોભ, તે ગાડાનાં ખંજન સમાન.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy