SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પર્યુષણપ નાં લેખકઃ બધા માત્રના કલ્યાણની જ ભાવનામાં રમતા મહાપુરુષોએ આ ઉપયાને દર્શાવ્યા છે. આ ઉપાયેાનો તમે વિચાર કરશે, તે પણ તમને લાગે કે એ મહાપુરુષોના હૈયામાં વેાના કલ્યાણ માટે કેટલી બધી કાળજી હતી ? આપણા કલ્યાણને માટે જેઓના હૈયે આટલી બધી કાળજી હતી, તેઓના ઉપકારને આપણે કેમ જ વિસરી શકીએ ? ચેત્યપરિપાટી અને ગુરુવદન ભગવાન શ્રી જિનેશ્વર દેવાના અને સદ્દગુરુએના જીવ માત્ર પ્રત્યેના ઉપકારના ભાવની આપણને સ્મૃતિ થાય, વિનય કરવા ચેગ્ય સ્થાને વિનયને આચરનારા આપણે બની શકીએ અને આપણે વમાનમાં કેવા છીએ તથા આપણે જો આપણા કલ્યાણને ચાહતા હોઇએ તો આપણે કેવા બનવું જોઇએ, એનો પણ આપણને ખ્યાલ આવે, એ માટે શ્રી પષણા પતે અંગે શ્રી કલ્પસૂત્રના શ્રાવણુની જેમ જ અવશ્ય કરવા ચેાગ્ય પાંચ કાર્યો દર્શાવવામાં આવ્યા છે. તેમા સૌથી પહેલું કા ચૈત્યપરિપાટી' દર્શાવ્યું છે અને બીજી કા સમસ્ત સાધુઓને વન કરવાનું દર્શાવ્યું છે. આપણે જે નગરમાં અગર જે ગામમાં હાઇએ તે નગર અગર તે ગામમાં જેટલાંય શ્રી જિનમંદિરે હાય, તે સ મદિરાએ જઇને તે સર્વ દિશમાં રહેલી સર્વ શ્રી જિનપ્રતિમાએનો ન અને વંદન આદિથી વિનય કરવા એ, ચૈત્યપરિપાટી છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાનો આ જગતના જીવ માત્ર ઉપર એવેા મોટા ઉપકાર છે કે-બીજે કાઈ પણ ઉપકારી એ ઉપકારીઓની હરોળમાં આવી શકે જ નહિ. ભગવાનૂ શ્રી જિનેશ્વર દેવાએ ધર્મતીને પ્રવર્તાવ્યુ' અને એ દ્વારા શુદ્ધ એવા મેાક્ષમાર્ગને સ્વત ંત્રપણે દર્શાવ્યેા એ જ એ તારકાનો પરન ઉપકાર છે. એ તારકાના આત્માએમાં મૂળથી જ એવી યાગ્યતા હોય છે કે એ તારકાના આત્માએ પોતે જે ભવમાં મુક્તિને પામવાના હોય છે તે ભવથી પૂર્વના ત્રીજ્ ભવે તે અવશ્ય એ આત્માએ શ્રી તી કરનામકની નિકાચના કરે છે. તીથંકર-નામકર્મની નિકાચના ઉત્કટ કેાટિની ભાવ ધ્યાના
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy