SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકઃ પર્યુષણ પર્વનાં લાગતું હશે કે “અમે ડાહ્યા થઈ ગયા છીએ. અમે જ્ઞાનથી ને અનુભવથી ઘડાઈ ગયા છીએ તો અમારે એ વાત કહેવી પડશે કેઅત્યારે તમારી જે કોઈ ઈચ્છાઓ છે, તે ઈચ્છાઓમાં તમારી મૂર્ખતા છે. એવું તમને ભવિષ્યમાં લાગે તેમ નથી. તમે આવી વાત કહી શકશે ખરા? તમે ગમે તેટલા ડાહ્યા છે, તમે ગમે તેટલા અનુભવથી ઘડાએલા હે, પરંતુ તમે આ વાત નહિ જ કહી શકે, કારણ કે ઈચ્છાઓ સમય, સ્થાન અને સોગ આદિને આધીન છે. આજે કોઈ માણસ તુષ્ટ થઈ જાય અને તમને કહે છે કે– માંગી લે, તારે જે ચીજો ની જરૂર હોય તે તે તમે માંગીને કેટલુંક માગો? અને ગમે તેટલું માગો તોય કાંઇ ને કાંઈ બાકી રહી જ જાય, આપણી આટલી બધી ઈચ્છાઓ શું સુચવે છે? આપણી પરંવશતા એ સ્પષ્ટ ચિતાર છે. કઈ પણ ઈચ્છા શાથી ઉદ્દભવે છે? આપણને જરૂર લાગે છે, આપણું હૈયે જરૂરીયાત ઊભી થાય છે માટે તે જરૂરીયાત પણે બે પ્રકારની હોય છે જેમ અમુક ચીજને મેળવવાની ઈચ્છા થાય છે, તેમ અમુક ચીજને કાઢવાની પણ ઈચ્છા થાય છે. ગમે તેના સાગની ઈચ્છા અને ગમે તેના વિયોગની ઇચ્છો. ઇચ્છાનાં ઉદ્દભવ અને તેમા ટકાવ આદિમાં અંમ રાગ અને દ્વેષ જ કામ કરે છે, હવે જે આપણે જરૂરીયાત વગરના જીવનવાળા બની જઈએ તે ? તે કોઈ પણ વસ્તુની ઈચ્છાને અવકાશ જ રહે નહિ. ઇચછા એ કાંઈ સુખનું કારણ નથી. ઇચ્છા માત્ર દુઃખનું કારણ છે. ઈચ્છા પિતે જ દુ:ખરૂપ છે. ઈચ્છા થઈ એટલે જે વસ્તુની ઇચ્છા, તેને માટે પરિશ્રમ કરવાની સ્થિતિ ઊભી થાય, ઈચછાનું દુઃખ અને એટલું દુઃખ વેઠવા છતાં પણ ઈચ્છાં ફળ નહિ, છે વળી દુઃખને પાર નહિ. એટલે જે આપણે એવા જીવનને પામી શકતા હેઈએ, કે જે જીવનમાં ઈચ્છા પેદા થવાને કેઈ કારણ જ ન હોય, તે આપણે એને જીવનને પામવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ ને ? એ માટે જે સર્વથા બહિત. એકાન્ત મુક્ત એવા જીવનની આપણે વાત કરી રહ્યા છીએ. આપણું જીવન આજે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy