SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પંચુ ષષ્ણુપનાં લેખાંક જે વાતથી અને જે વર્તનથી આત્માનું હિત સધાય, તે વિચારને, તે વાતને અને વનને અધ્યાત્મમાં સમાવેશ થઇ શકે. આથી જેણે પોતાના જીવનમાં અધ્યાત્મને જીવવુ હોય, જેણે પોતે અધ્યાત્મવી બનવુ હોય, તેણે કાઈ પણ પ્રકારનો વિચાર વાત કરતાં પહેલાં અગર તે કાઇ પણુ પ્રકારની કાયિક પ્રવૃત્તિ કરતાં પહેલાં, એ વાતના વિચાર કરવા પડે કે હું જે વિચાર કરવાને સ્ક્રુ છું, હું જે વાત કરવાને પપ્પુ છુ અગર તે હું જે કાયિક પ્રવૃત્તિને કરવાને ઈચ્છુ છુ, તેનાથી મારા આત્માનું હિત સધાય તેમ છે કે નહિ ?' આવા વિયાર કરતા જો એવી ખાત્રી થાય કે આ વિચાર કરવાથી આવી વાત કરવાથી અગર તો આવું વર્તન કરવાથી મારા આત્માનું હિત જ સધાશે, પણ મારા આત્માનું અહિત નહિ સધાય તો જ એવા વિચાર કરે, એવી વાત કરે અગર તે એવી પ્રવૃત્તિ કરે. આવી રીતિએ જીવનારા માણસ એ અધ્યાત્મજીવી માણસ છે, એમ કહી શકાય. આત્માને ઓળખવાની જરૂર ૪૨ આ રીતિએ જીવવાને માટે પ્રયત્નશીલ બનેલેા માણસ પણ નહિ કરવા ચાગ્ય વિચારેને કરનારા, નહિ કરવા યાગ્ય વાતાને કરનાર અગર તે નહિ કરવા યાગ્ય પ્રાત્તઓને કરનારા ખતે એ શકય છે; કારણ કે એણે પૂર્વે જન્મ જન્માંતરામાં જે કર્માને ઉપામાં હોય છે, તે તેની બુદ્ધિના વલણુને ખાટે રસ્તે દ્વારી જાય એ પણુ શકય છે, અને બુદ્ધિ માર્ગાનુસારિણી હોય તે પણ એ કર્મોની પ્રલતાથી અનેકવિધ નબળાઇઓની ભોગ બને છે. આમ છતાંય બુદ્ધિ જો માર્ગાનુસારિણી હોય તો નહિ કરવાયોગ્ય પ્રવ્રુત્તિઓ કરવા છતાં પણ તથા એને લગતી વાતે અને એને લગતા વિચારો કરવા છતાં પણ તે તે પ્રવૃત્તિઓ આદિ દ્વારા પણ તે આત્મા માર્ગોનુસારિણી બુદ્ધિના પ્રતાપે શુદ્ધ અધ્યાત્મિક જીવનની નિકટમાં પહોંચતા જાય છે. આથી સૌથી પહેલા પ્રયત્ન તે બુદ્ધિને માર્ગાનુસારિણી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy