SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વ્યાખ્યાના ૩૭ ઋદ્ધિ-સિદ્ધિની અપેક્ષાને જ લક્ષમાં રાખીને જે આ દેશમાં માનવ જન્મ મળ્યા એનું ગૌરવ અનુભવે છે તે પણ આપ દેશની ગોરવાસ્પદ વસ્તુ કયાં છે, તેને સમજી શકયા નથી. અધ્યાત્મપ્રધાનતા એજ આ દેશની સાચામાં સાચી ગૌરવાસ્પદ વસ્તુ છે. કારણ કે અધ્યાત્મના યાગે જ માણસ પોતાના સાચા સ્વરૂપને પિછાની શકે છે, જગતના સાચા સ્વરૂપને પિછાની શકે છે. પેાતાની સર્વોત્તમ એવી જે અવસ્થા–તેનો નિણુય કરી શકે છે. પોતાની એ સર્વોત્તમ અવસ્થાને પ્રગટાવવાના સાચા ઉપાયાનો નિય કરી શકે છે, એ ઉપાચાને સેવવાને માટે પ્રયત્નશીલ બનવા દ્વારા એ પોતાના વર્તમાનકાલીન જીવનને શાંતિમય બનાવી શકે છે અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે તે પોતાના ઉજ્વલ ભાવિની નિકટ જતા હોય છે. આ વસ્તુનો સુયાગ અનાય દેશમાં અલભ્ય છે અને આ દેશમાં લક્ષ્ય છે, માટે જ મહાપુરુષોએ આ દેશની મહત્તા ગાઈ છે. કિંમતી વસ્તુ પણ આપણને કયારે કિ"મતી લાગે ? આ દેશની આ મહત્તાનો તમે કદી પણ અનુભવ કર્યો છે ખરા ? ‘ મેં પૂર્વ જન્મામાં ધણું સુન્દર પુણ્ય ઉપાર્જેલું, તેથી એ પુણ્યના ઉચે મને આ દેશમાં માનવ જન્મ મળ્યા છે. ' આવે આનન્દ તમે કદી પણું અનુભવ્યા છે ખરા ? તમે જો આવે આનન્દ ન અનુભવ્યા હોય, તે તેનુ મુખ્ય કારણ એ જ છે કે તમે તમને પેાતાને જ ઓળખી શક્યા નથી એથી તમને આ દેશની જે એકની એક પરમ ગૌરવાસ્પદ વસ્તુ છે, તે વસ્તુ તમને પોતાને ગૌરવાસ્પદ લાગી નથી, અને એથી જ તમે એ ગૌરવાસ્પદ વસ્તુના યોગની સામગ્રી તમને મળી છે, તે છતાં પશુ તે મળવાના કારણે જે આનંદનો અનુભવ કરવા જોઇએ, તે આનંદનો અનુભવ કરી શકયા નથી. માણસને મન તે જ વસ્તુ કિ ંમતી લાગે છે, કે જે વસ્તુના યેાગે પોતાનુ હિત સધાય છે એમ લાગે, અગર તે જે વસ્તુના યેાગે પોતાનુ હિત
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy