SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે વ્યાખ્યાને , ૨૩ ભાવીના સર્જનમાં બાધા ઉપજાવે, અન્તરાય કરે, એવી પણ પ્રવૃત્તિઓ તમારે કરવી પડતી હશે તે પણ એ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાનું તમને ગમતું તે નહિ હોય ને ? એવી પ્રવૃત્તિઓને આચરતા ક્યારે હું છૂટું , ક્યારે એ સુન્દર અવસર આવી લાગે કે મારે આવી કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જ પડે નહિ. આવું તમને થયા જ કરતું હશે ને ? તમે નક્કી કરેલા તમારા ઉજવલ ભાવીના સર્જક ઉપાયને સેવવામાં તમને તેષને અને તમે નક્કી કરેલા તમારા ઉજ્વલ ભાવીના સર્જનમાં વિદ્યરૂપ પ્રવૃત્તિઓમાં તમને પરિતાપને અનુભવ થતું હશે ને ? એટલે તમે મનની, વચનની કે કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરતાં, એ પ્રવૃત્તિ, તમારા ઉવલ ભાવીની સાધક છે કે નહિ, એને વિચાર કરીને નિર્ણય કરી લેતા હશોને ? તમારી પ્રવૃત્તિઓથી તમારું ભાવી સર્જાય છે? અત્યારે તમે વાંચક તરીકે મારી સમક્ષ છે. તમે જે શ્રોતાઓ, તરીકે મારી સમક્ષ હેત તે અહીં હું તમને તમારા અન્તઃકરણમાં, જે વાત હોય, તેને જવાબ દેવાને માટે પ્રેરણું કરી શક્ત. અત્યારે તે શાસ્ત્રક્શનના અને અનુભવના બળે તમારા વિષે નિર્ણય કરે પડશે ને એ નિર્ણય કહેવું પડશે. વિદ્વાન અને બુદ્ધિશાળી ગણાતા માણસમાં પણ મોટે ભાગે એવા માણસે હોય છે, કે જેમણે પોતાના ભાવી વિષે વિચાર કરીને નિર્ણય કરેલ છે તે જ નથી. જેઓએ પિતાના ભાવી વિષે નિર્ણય જ કર્યો નથી, તેમને વળી ઉજ્વલ ભાવી શું અને અનુવલ ભાવી શું એની કલ્પના કયાંથી હોય? ભાવીને નિર્ણય કર્યા વિના એના ઉપાયે સબંધી નિર્ણય પણ ક્યાંથી હોય ? એટલે પોતે જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે પિતાના સારા ભાવીને સર્વે છે કે પિતાના ખરાબ ભાવીને સર્જે છે તે સંબંધી વિચારણું પણ હોય જ નહિ ને? આપણું પ્રવૃત્તિઓથી જ આપણું ભાવી સર્જાય છે. એ વાત તે સૌને માન્ય છે. કોઈ કોઈના ભાવીને સર્જતું નથી. બીજાઓ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy