SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પર્યુષણ પર્વનાં લેખકઃ છે અને મેળવવા યોગ્ય એક માત્ર મોક્ષ જ છે. જીવ આટલી ઊંચી હદ સુધીને ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી શકે, તે છતાં પણ તે - મિથ્યાત્વમેહનીય કર્મની અસર નીચે હોઈ શકે છે. જે ધર્મ ખરેખર મોક્ષસાધક છે, જે ધર્મમાં મોક્ષનું વાસ્તવિક પ્રકારનું સાધકપણું છે, તે ધર્મ જ સદ્ધર્મ છે. આવા પ્રકારના નિર્ણય કરી શકવા જોગી આત્મશાને જે જીવ પામે હોય, તે જીવ જ “મિથ્યાત્વ મેહનીય” નામના કર્મની અસર નીચે નથી એમ કહી શકાય. સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરવાનું સૂચન પણ શ્રદ્ધાભાવ જન્માવી શકે? ' આવી આત્મશાને સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માઓ જરૂર પામી શકે છે, જે તેઓ પિતાના સ્વરૂપને, જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવને અવલંબીને, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવા માંડે તે એવા આત્માઓને પિતાના પ્રયત્નના પરિણામે જરૂર એમ લાગે કેમેળવવા ગ્ય જે કોઈ પણ વસ્તુ હોય તે તે એક મોક્ષ જ છે. મોક્ષને મેળવવાને માટે સાધવા યોગ્ય જે કોઈ પણ વસ્તુ હોય તે તે એક માત્ર ધર્મ જ છે, અને મોક્ષને ટેગ કરાવવાને માટે - જે ધર્મ વાસ્તવિક રીતિએ સમર્થ હોય, તે જ ધર્મ પણ મારે માટે મોક્ષસાધક બને એવા પ્રકારે જ સાધવા યોગ્ય છે.” જે આત્માઓ ખરેખર સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય અને સૂક્ષ્મ બુદ્ધિવાળા હેવા ઉપરાન્ત પિતાની સૂક્ષ્મ બુદ્ધિથી પિતાના સ્વરૂપને અને જગતના સ્વરૂપને જિજ્ઞાસુ ભાવપૂર્વકના મધ્યસ્થભાવને અવલંબને વિચાર કસ્બારા બને, તેઓ આવી આમદશાથી વંચિત રહે જ નહિ. એને તે એવો વિચાર પણ આવે કે આપણને આવી રીતિએ ધર્મના સંબંધમાં પણ ધર્માધર્મને વિચાર કરવાનું કહે કોણ? બજારમાં ઠગાઈ જવાની ઘણુ ધાસ્તી છે, નકલી ભાલ સાચા માલ તરીકે તમારી સામે ધરવામાં આવશે, માટે તમે માલના પરીક્ષક
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy