SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તેતાલીસમું ] રથાનાંગસૂત્ર [ ૨૧ છૂટાં રાખેલાંને કબજે લેવા માટે ગુણવત લેતર દષ્ટિમાં શત્રુતા કર્મ તરફ છે. ધર્મનું કાર્ય કરનારે ઉદ્યમને ભરોસે જવું–કરવું જોઈએ. હું કરું ન કરે તેટલી ખામી. ઉપદેશપમાં હરિભદ્રસૂરિએ જણાવ્યું કે ધાર્મિક દૃષ્ટિમાં ઉદ્યમવાદી તે શુકલપક્ષી. છેલ્લામાં છેલ્લે ઉધમ પાંગળો થઈ જાય છે. કર્મ જ જવાબ દે છે. શું પિતાનાં છોકરા છોકરીને પસંદ કરીને લાવ્યો છે ? કર્મદલાલે દીધાં તેવાં મળ્યાં. ઉદ્યમને ત્યાં આગળ અવકાશ છે છે. ઉદ્યમને અંગે ભોગપભોગનું વ્રત કહા છતાં આવતે ભવે આમ મળજો! સુતારનું ચિત્ત બાવળીએ. કાનું ખેતર અને કેને બાવળીઓ! તેમ આ જીવ–પારકાએ ઘર ચલાવ્યું ઠીક થયું, આમ કર્યું હેત તે ઠીક થાત, સારું થયું, ખાટું થયું આ શા માટે? તને કાંઈ મળવાનું નથી. તારા જરૂરના ઉદ્યમ સિવાય જે મનથી ભવાંતરને માટે વિચાર કરે, વચનથી બોલે, કાયાથી બનાવે બંધ તે ત્યાં કરવા જોઈએ તેનું નામ અનર્થદંડવિરતિ, સ્થાવર જીવને વિચાર થતા હોય નહિ, તેથી તે સંબંધી બંધ તેને નથી. ખેડૂતને નવરો બેઠેલો દેખ્યો, તું એદીની પેઠે બેઠે છે, ખેતર ખેડ! આ અનર્થદંડ. ઉપર જણાવેલું કરવું જોઈએ એવું કહેવાવાળો, આ ધર્મ, આ ફરજ આમ કહેવાવાળે, સાચી શ્રદ્ધા, આચાર ધરાવી શકતો નથી. જ્યારે અનર્થદંડની વસ્તુ સમજવામાં ન આવે તે સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા કયાંથી આવે ? ગુણવતો જે છૂટું રાખેલું તેને કબજે લેવા માટે છે. જે સ્થાવરની હિંસાની પ્રતિજ્ઞાવાળો નથી પણ બેદરકારીવાળો તે નથી. નિરર્થક હિંસા તો સ્થાવરમાં પણ ન કરે. મેક્ષને ઇચછવાવાળે શ્રાવક સ્થાવર છમાં પણ નિરર્થક હિંસા ન કરે. ભલે સ્થાવરની હિંસા વઈ ન શકાઈ, પણ છકાયની દયાથી નિરપેક્ષપણે રહેલ નથી. હિસાની વિશેષ વિતિને અંગે લોકોત્તર દ્રષ્ટિ, તેથી હિંસાની વિરતિ એ પહેલું મહાવ્રત. :
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy