SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણચાલીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૬૦ તેને એક જ ભાવના હેય છે-“મા પાર્વત પsfu gigar, માં જ મૃત જજ કુતિઃ ” (યોહા.g૦૪, કો૨૨૮) જગતમાં કોઈ પણ જીવ ચાહે તે મિત્ર, ચાહે તો શત્રુ હોય પણ કઈ જીવ પાપ કરો નહિ આ સમ્યક્ત્વની શરૂઆતથી ભાવના છે. મિત્રી આદિ ભાવનામાં બચાવ નથી હરિભદ્રસૂરએ ધર્મનું લક્ષણ જણાવતાં કહ્યું કે બેલેલો ધર્મ નહિ. દરેક પિતાની ક્રિયાને ધર્મ કહેવા તૈયાર છે. શાસ્ત્રને અનુસાર કરે તેટલા માત્રથી જ ધર્મ નહિ. પ્રવૃત્તિ પણ શાસ્ત્રને અનુસાર કરે. આગળ વધવું શાસ્ત્રને આધારે કરે તો પણ ધર્મ નહિ. શાસ્ત્રોમાં કહેલાં વચનને ઉદ્દેશીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાની સાથે, જે અનુષ્ઠાન કરવામાં આવે, તેની સાથે ચાર ભાવના-મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ પણ જોઈ એ. શાસ્ત્રમાં કહ્યું છે કે “મૈત્રી આવિ માવલંપુ.” આ ચાર ભાવના આવવી જોઈએ. જે તે આવે તે તેનું નામ ધર્મ કહેવાય. " वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् ।। मैयादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥" સર્વજ્ઞના વચનને આશ્રોને પ્રવૃત્તિ હેવી જોઈએ. કહેલી વિધિસર અનુષ્ઠાન હોવું જોઇએ. એવું અનુષ્ઠાન હેય છતાં પણ જે મૈગી આદિ ભાવનાવાળો હોય તો ધમ કહેવાય. આ ત્રણ વસ્તુમાં હજુ એમ કહીએ તો ચાલે કે શાસ્ત્રને અશ્રોને વિધિમાં બચાવ છે, પણ મૈત્રી આદિ ભાવનામાં બચાવ નથી. અગીતાર્થ હેય, ગીતાર્થની નિશ્રાએ કરે. પોતે ભગવાનના વચનને જાણતો નથી, સર્વજ્ઞ ભગવાનને કે શ્રુતકેવલીને પૂછ્યું કે પારકાના આધારે ચાલે છે. તેનું કેમ? વિધિને પ્રયત્ન કરે, કદાચ અવિધિ થઈ જાય, વિનિના પ્રયત્નની બુદ્ધિઓ અવિધિને દોષ ટળે, પણ મૈત્રી આદિ ભાવના ન હોય તે તે દેશ ટશે નહિ.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy